________________
નવ તત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ-ભાગ ૧
૮૫
દ્રવ્ય જ રૂપી છે; તે શબ્દાદિ જેમાં નથી એવા બાકીના પાંચે દ્રવ્ય અરૂપી છે. ધર્મ, અધર્મ ને આકાશ દ્રવ્ય એક છે; કાલ, પુદ્ગલ ને જીવ અનેક છે. ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ ચાર નિષ્ક્રિય છે; જીવ અને પુદ્ગલ એ બે સક્રિય છે. એક જીવ દ્રવ્યના, ધર્મના ને અધર્મના પ્રદેશ અસંખ્ય છે; પુલના સંખેય, અસંખ્યય વા અનંત પ્રદેશ છે; આકાશના અનંત પ્રદેશ છે; કાળ એક પ્રદેશાત્મક હોઈ અપ્રદેશ છે. આ છએ દ્રવ્યનો અવગાહ લોકાકાશમાં છે, નહિ કે હાર. એટલા માટે આકાશના લોકાકાશ ને અલોકાકાશ એમ બે વિભાગ કહ્યા છે. ધર્મ-અધર્મ, તલમાં તેલની જેમ, સમસ્ત લોકાકાશને અવગાહે છે. અસંખ્યાતપ્રદેશી એક જીવ, પ્રદીપની જેમ, પ્રદેશોના સંકોચ-વિકાસથી તે લોકાકાશના અસંખ્યય ભાગ આદિને અવગાહે છે. અને પુદ્ગલો તેના એક પ્રદેશાદિને અવગાહે છે, એમાં ભજના છે. દા. ત. અનંત પ્રદેશી પુદગલ આકાશના એકથી માંડી અનંત પ્રદેશને અવગાહે છે. આમ સર્વ દ્રવ્યોને પોતામાં અવગાહ–અવકાશ આપવો તે આકાશનો ઉપકાર છે. ગતિપરિણત દ્રવ્યને સહાય કરવી તે ધમસ્તિકાયનો ઉપકાર છે. સ્થિતિ પરિણત દ્રવ્યને સહાય કરવી તે અધર્માસ્તિકાયનો ઉપકાર છે. શરીર, વાર્થી, પ્રાણાપાન, મન, સુખદુ:ખ, જીવિત-મરણ એ પુદ્ગલોનો ઉપકાર છે. હિતાહિતોપદેશ વડે કરીને જીવોનો પરસ્પર ઉપકાર છે. સર્વ દ્રવ્યોનું પરિવર્તન કરવારૂપ વર્તના, પરિણામ, ક્રિયા, પરવાપરત્વ એ કાળનો ઉપકાર છે.
આસવ તત્ત્વ- કાય, વાક, મનનું કર્મ તે યોગ છે અને તે જ આસવ છે. ગરનાળામાંથી જલની જેમ, યોગપ્રણાલિકામાંથી કર્મનો આસવ થાય છે, માટે યોગને આસ્રવ કહ્યો છે. યોગથી આસવેલું કર્મ સકષાયને, લીલા ચામડા પર રજની જેમ, ચોટે છે; પણ અકષાયને, સુક્કી ભીંત પર ફેકેલા ઢેફાંની જેમ, ચોંટતું નથી. ચાર કષાયથી, પાંચ ઇંદ્રિયથી, પાંચ અવ્રતથી અને પચીશ ક્રિયાઓથી કષાયજન્યસાંપરાયિક કર્મ આરાવે છે; અને તીવ્રમંદ ભાવથી ને જ્ઞાન-અજ્ઞાત ભાવથી, તેમજ વીર્યવિશેષથી ને અધિકરણવિશેષથી તે સાંપરાયિક કર્મોનો વિશેષ હોય છે.