________________
સંસાર પ્રત્યે વૈરાગ્ય ન થયો, તેથી તેમના કહ્યા પ્રમાણે ન વર્યો. પરને પોતાનું માનવારૂપ અભિમાન મુકાયું નહીં. જ્ઞાની સંત મળ્યા તેમની ગુરુ તરીકે આરાધના કરી નહીં. સૃષ્ટિમાં જ્ઞાની તો અનંત થયા છે ને થશે તે સઘળા પૂજ્ય છે; પરંતુ જે જ્ઞાની સંતે બોધ આપી જ્ઞાન પમાડયું તે ગુરુ છે. તેમની સેવા સર્વાર્પણપણે આજ્ઞા આરાધનપૂર્વક કરવી જોઈએ, એ રીતે ગુરુસેવા મેં કરી નથી.
સંત ચરણ આશ્રય વિના, સાધન ક્યાં અનેક પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સરુની આજ્ઞા સિવાય પોતાની મેળે અથવા કુગુરુના અવલંબને જપ, તપ, શ્રાવકપણું, દીક્ષા વગેરે સાધનો કર્યા, તે સક્રિયા હોવા છતાં સંસારમાં જ રખડાવનારી થઈ, કારણકે તેથી વિવેક એટલે સ્વપરનો ભેદ અથવા સમક્તિ, તેનો અંશ પણ આવ્યો નહીં. આત્મહિત શું છે? તે શી રીતે થાય? તેની જરા પણ સમજણ પડી નહીં. મારે આ જ કરવાનું છે એવી સમજણપૂર્વકની સાચી શ્રદ્ધા ન આવી. સત્ય, અસત્ય, હિત, અહિત,
પ૭