SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ). કહેવાનું મન થાય છે એવું આ જુનાગઢ શહેર કાઠીયાવાડ દ્વીપકલ્પ દક્ષિણ ભાગમાં દરીઆ કિનારેથી વીસ માઈલને અંતરે આવેલ છે. તેને ઉત્તર અક્ષાંસ ૨૧૦૧ ને પૂર્વ રેખાંશ ૭૦૦૧૩ છે. વઢવાણથી ૧૬૮ માઈલ તથા ભાવનગરથી ૧૨૬૩ માઈલ દૂર આવેલા રેલવે સ્ટેશનથી નીકળી રમણિક તથા શક્ષસી રેગેટમાં દાખલ થઈ, મનુષ્યને ઉલ્લાસ ઉપજાવે એવા મનહર મુકબરાઓને દક્ષિણ બાજુએ મૂકી ગંજાવર જેલ તરફની નવી સડક પકડી જમણા હાથ તરફને બજારમાં જવાને રસ્તે છેડી દઈ, બારેબાર જઈએ તે શ્રાવક કેનાં દેવાલ તથા અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ તથા બાબુની ધર્મશાળાઓ આવે છે. ત્યાં આગળ ઉપરકોટ', નામને પુરાતન ને મજબૂત કિલ્લે પ્રવાસી જનની નજરે પડે છે, તેની આસપાસ ઘણું ગુફાઓવાળી જબરી ખાઈ આવી રહેલી છે. આ કિલ્લામાં અસલી ભેયર, ઉંડા કુવા ૧ ખેરાસાનના શાહ કાલયવનની બીકથી નાસીને યાદવરાજા ઉગ્રસેને આ કિલ્લો પ્રથમ બાંધ્યો. તેને સંવત ૧૫૦૭ માં મંડળી રાજાએ સમરાવ્યું. પછી સંવત ૧૬૯૦ માં ઐસાખાને ફરીને સુધરાવ્યો ને તેને ૯ દરવાજા તથા ૧૧૪ મીનારા કરાવ્યા. ત્યારપછી સંવત ૧૭૦૮ માં મીરઝા ઐસારખાને આ કિલ્લાને સમે કરાવ્યું. ઉપરકોટના લેખ માટે જુઓ પરિશિષ્ટ આ કેટ આશરે ૭૦ ફીટ_ ઉચે છે ને આશરે એક હજાર વર્ષ પહેલાં બંધાયેલ છે.
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy