SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭ ) તારવાને તત્પર એવા ચાર નદી ને ચાર ડુંગરાથી વિટાયેલા ઉજ્જયંત પર્વત છે. ડાબી બાજુ તરફથી લખનાર, દાઢી રાખનાર, આથમતા રિવને પૂજનાર ને વામપાર્શ્વનાં ઓરીવાળાં અંગરક્ષક પહેરનાર મુસલમાન લેાકેા પણ ગ્રેનીટ પ્રસ્તરના ગિરનાર શિખરને તેમજ રા. મલિકના વખતમાં સિંધના નગરઠઠ્ઠાથી પીરપટ્ટાએ માકલેલા જીમીયલશા પીરના જ્યાં કીલ્લા છે એવા 'દાતારના સુદર ડુંગરને અત્યંત પવિત્ર ગણે છે, તેથી ભારત માં ભારે ભપકાથી દ્રીપાયમાન તથા પ્રતિદિન સવાશેર સુવર્ણ નુ દાન આપે છે એવી જનકથા જેના વિષે ચાલે છે એવા આ જીવતા પ્રાચીનકાળના જવાળામુખી પત પાતાના પુણ્ય સ્પર્શીથી મહીમાતાને મંડન કરી રહ્યો છે અને છાયા વડે પણ સ્પર્શ કરનાર પ્રાણિઓને સુખની પરંપરાના સ્વાદ ચખાડી રહ્યો છે. શાંતિનું સરોવર, આન ંદના અણુ વ ને શેક તિમિર હરનાર સવિતા એવા સ દૈવત રેવતાચલ છે કે જ્યાં આવતી ઉત્સર્પિણીના ૨૪ તીર્થંકરામાંથી ૨૨ તીર્થ કરા મુકિત પામશે. જ્યાં દર્શનીય દેવાલયા, ગુહ્ય ગુફાએ, અસલી શિલાલેખા, ચમત્કારિક ઔષધિઓ, સુવર્ણરજ, અખરખ, રકતમૃત્તિકા ઇત્યાદિ વસ્તુઓ જોવામાં આવે છે એવા ગિરનાર પર્વતના ચઢાવ શહેરથી આશરે અઢીમાઈલ ઉપર શરૂ થાય છે. મનારજક નવીન મકાનાની ભવ્ય શેશભાથી જેને નવાગઢ ૧. ૨૭૭૯ છુટ ઉંચા.
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy