SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) સિદ્ધરાજે નહિ લેવાથી ટપના પૈસાને ઉપયોગ આ ટૂંક પાછળ કર્યાનું કહેવાય છે. | મુળ દેરાસરજીમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથજી છે. ફરતી ભમતી છે. દક્ષિણ તરફમાં અષ્ટાપદજીનું દેરાસરજી છે અને ઉત્તરની ભમતીમાં ચામુખજીનું દેરાસરજી છે. આ ટુંકના રંગમંડપમાં તેમજ દેરાસરોના અંદરના ભાગની ભમતીમાં કોતર કામ ઘણુંજ સુંદર અને જોવાલાયક છે. આ ટુંકમાં પ્રભુજીની પૂજાના પાણીનું એક ટાંકે છે. તેમાંથી પખાલનું પાણી લેવાય છે. સગરામ સેનીવાળી ટુંક મેલકવણીની ટુંકમાંથી બહાર આવતાં ઉત્તરાદિ તરફ આ ટુંક આવેલી જેવાય છે. આ ટુંકમાં દેરાસરજીમાં સહસ્ત્રફણા પાશ્વનાથજી બીરાજે છે, આ દેરાસરજી ઘણું જ સરસ છે. રંગમંડપની શોભા રમણીય છે. બે માળનું છે. ઉપરમાં બેસવાની ગોઠવણ પણ છે. ફરતી ભમતી છે. ભમતીમાં ત્રણ દેરાસરજી છે, ગીરનારજી ઉપરના સઘળા દેરાસરમાં આ દેરાસરજી સૌથી ઉંચામાં ઉંચું છે. આ સીગરામ સેની બાદશાહ અકબરના વખતમાં થયેલે ઈતિહાસ ઉપરથી માલુમ પડે છે.
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy