SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) ધર્મથી વાકેફ થાય તથા એકબીજાને મદદ કરે એવી દેવપ્રિય પ્રિયદશી રાજાની ઈચ્છા છે. કારણ કે, સર્વ સંપ્રદાયવાળા બહુશ્રુત તથા થાય જેથી સર્વ સંપ્રદાયને યશ વધે તથા તેમને માન મળે એવા દાન સિવાય બીજા દાન કે પૂજનને તે માનતા નથી. આટલા સારૂ ધર્મમહામાત્ર, સ્ત્રીઓ વિષે તપાસ રાખનારાઓ, સન્યાસીઓ આદિકની સાર સંભાળ રાખનારાઓ તથા એવા બીજાઓ કામે લગાડ્યા છે. આમ કરવાનું ફળ એટલું જ કે પિતાના સંપ્રદાયની વૃદ્ધિ થાય તથા ધર્મ પ્રકાશ પામે. શાસન–૧૩. (અક્ષરો ઘણાખરા ઘસાઈ ગયા છે.) શાસન–૧૪. આ ધર્મલિપી દેવપ્રિય પ્રિયદર્શી રાજાએ લખાવેલી છે. કઈ ઠેકાણે સંક્ષેપમાં લખાયેલી છે, કોઈ ઠેકાણે મધ્યમ રીતે તથા કેઈ સ્થાને વિસ્તારથી લખાયેલી છે. બધે ઠેકાણે બધું લખેલું નથી. દેશ માટે છે માટે મેં જે લખાવ્યું છે તે ઘણું છે. કેટલીક બાબતો વિષયની મધુરતાને લીધે ફરી ફરીને લખી છે. કારણ કે તે બાબતને લેક વિશેષ પ્રીતિથી ગ્રહણ કરે છે આમાં કોઈ સ્થાને અપૂર્ણ અથવા અયોગ્ય લખ્યું હોય તે તેનું કારણ એમ ધારવું કે અસલ સાથે તેની નકલ મેળવી નહીં હોય અથવા તે કોતરનારે ભૂલ કરી હશે.
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy