________________
(રરર) ત્યારે કહેવું કે ઉપર કહેલાં કામ સારાં છે માટે તે કરવાં. આ સઘળું જે કરે છે તે અંતે સ્વર્ગ જાય છે. સ્વર્ગે લઈ જનારાં આ કામ જરૂર કરવાં જોઈએ.
શાસન–૧૦, જે દેવપ્રિય પ્રિયદર્શી રાજાની પ્રજા ધર્મસેવન ન કરતા અથવા ધર્મજ્ઞાનમાં ન અનુસરત તો તે યશ કે કીર્તિને પરમ લાભકારી ન ગણત. પરંતુ તેની પ્રજા ઉપર પ્રમાણે પ્રવર્તે છે માટે તે યશ અથવા કીર્તિને ચાહે છે. દેવપ્રિય પ્રિયદર્શી રાજા જે કંઈ પરાક્રમ કરે છે તે કેવળ પરલેકને માટે કરે છે. તેથી પિતે બિલકુલ કલંકમુક્ત રહે ખરે. કલંક તે પાપ જ છે. પરંતુ જે માણસ સર્વકામ મૂકી દઈ આ કામને વાસ્તે અત્યંત પરિશ્રમ લે, તો ભલે તે ઉંચી કે નીચી પંક્તિને હોય તે પણ તેનાથી આ કામ બનવાનું નથી. તેમાં પણ ઉંચી પદવીના માણસથી તે આ કામ બનવું ઘણું જ અશક્ય છે.
શાસન-૧૧, દેવના પ્રિય પ્રિયદર્શી રાજા એમ કહે છે કે જેવું ધર્મ દાન, ધર્મચર્ચા, ધર્મસંબંધી ઉદારતા કે ધર્મને સંબંધ છે એવું કઈ પણ દાન નથી. ધર્મદા વગેરેમાં નીચેની બાબતે છે ...નેકર-ચાકરની સારી બરદાસ રાખવી, માતાપિતાની ભક્તિ કરવી, મિત્ર, એલખીતા, જાતિભાઈ, બ્રાહ્મણ તથા ભિક્ષુકને સારી રીતે દાન દેવું તથા જીવની રક્ષા કરવી. આ