SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૧૩ ). બીબી એ રીતે ત્રણ સ્ત્રીઓ મહાબતખાં પરણ્યા. બીબી કમાલબખ્તા જે બાદશાહી ઠાઠથી રહેતાં હતાં, તેના કુંવર હામદખાને સરકારે ખેટે ઠરાવ્યું, તેથી તે રાધનપુર ગયા ને ત્યાં ગુજરી ગયા, સરદારબખ્તાને કંઈ સંતાન સાંપડયું નહીં, ને લાડડી બીબીને બહાદુરખાં કુંવર ૧૮૫૬ માં જન્મ્યા, બીજી બે સ્ત્રીઓથી રસુલખાં ૧૮૫૮માં જનમ્યા, તથા એદલમાં ૧૮૬૭ માં જનમ્યા, વળી ૧૮૫૯ માં નાનીબુને તાજબન્તાં કુંવરી જમ્યાં, તેને બાટવાના બાબી રૂસ્તમખાના ભાઈ શેરબુલંદખાં સાથે ૧૮૭૩ માં પરણવ્યાં. નવાબ સાહેબની માનાજુબીબી સાહેબ તથા તેની બેનપણે ચાઇતીબુ અનંતજી દીવાનની વિરૂદ્ધ હતાં. તેથી તેઓએ ખટપટ મચાવી. પણ પિલિટિકલ એજંટ ફારબસ સાહેબે ૧૮૬૦ માં ડુંગરશી દેવશીને દીવાન નીમ્યો. ચાઈતીબુના માનીતા લુવાણ કેશવજી ને વીરજીની મદદથી ડુંગરશી ૧૪ મહિના સુધી ટકી રહ્યો; પણ ૧૮૬૧ માં ઝાલા નેકળજી સંપત્તિરામ દીવાન થયા. ૧૮૬૭માં વાઘેર લેકની માછરડા પાસે ટોબરના ડુંગર ઉપર પૂર્ણ હાર થઈ પણ કેપ્ટન હેબર્ટ ને લાટુચ તેમાં મરી ગયા. ડુંગરશી શેઠ ઉપર વાઘેરને મદદ આપવાનો આરોપ મુકાયે, અને ડોસા પારેખના ખુનના કેસમાં ડુંગરશી, કેશવજી તથા મીયાં હામીદ રાજકોટમાં કેદ થયા. ૧૮૭૦ માં મુંબઈના ગવર્નરંફિટઝારાલ્ડ સાહેબે રાજકુમાર કોલેજ સ્થાપી. તેજ સાલમાં ભાવનગરના ઠાકોર સાહેબ જસવંતસિંહજી તથા ગંડલના ઠાકોર સાહેબ
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy