SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૩), ઉપર સ્વારી કરી. મંડળીક જખમી થવાથી ઉપરકોટમાં ભરાઈ બેઠો. ને મહમદ નજરાણે મળવાથી અમદાવાદ ગયે. પણ ઈ. સ. (૧૪૬૮માં 140 meadowsTayla) મોટી સેના લઈ ફરી ચડાઈ કરી. મંડળીક બહાદુરાઈથી લડે, પણ આખરે તાબે થયે. મહમદે તેના કુંવર ભુપતસિંહને સીલબગસરાની ચોવીસી આપી ને તાતારખાનને થાણદાર નીમી જુનાગઢનું નામ મુસ્તફાબાદ પાડયું. ઉપરકોટમાં દેરાંની મસીદ કરીને શહેરની આસપાસ દીવાલ બાંધી અમદાવાદથી સૈયદ, કાજી, અને બીજા તવંગર મુસલમાનેને તેડાવીને તેમને મહમદ મુસ્તફાબાદમાં વસાવ્યા ને જીર્ણદુર્ગના છેલ્લા રજપુત રાજા મંડળીકને વટલાવી તેનું નામ ખાજહાં પાડીને અમદાવાદ પકડી ગયે. મંડળીકની ઘર માણેક પાસે કઇએળમાં હાલ હયાત છે. અતિ વિષયીને એવું વિષ સમાન ફળ મળે તેમાં નવાઈ નથી. ચુડાસમા રજપૂતોએ સેરઠ ઉપર આશરે ૬૦૦ વર્ષ રાજ્ય કર્યું. તે પછી મુસલમાનોને અમલ બેઠે તે પણ સે વર્ષ સુધી ચુડાસમા રજપૂતે જાગીરદારના નામથી ઓળખાતા હતા ...તાતખાન પછી મહમદ બેગડાનો શાહજાદે મીરઝા ખલીલ જુનાગઢને બીજે થાણ દાર નીમાયો. તેણે ખલીલપુર વસાવ્યું. ત્રીજે થાણદાર મલીક ઈયાઝ પોર્ટુગીઝ લેકેના હુમલા અટકાવવાને માટે ઘણે ભાગે દીવમાં રહે. તેની કબર ઉનામાં છે. ચોથ થાણદાર તાતારખાં ગોરી થયે તેના વખતમાં જામ રાવળે હાલાર જીતીન - ૧૩
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy