________________
(૧૮૦ ) પછી શત્રુંજય ગિરનાર તથા તારંગાની યાત્રા કરી અત્યંત પૈસો ખરો . ગિરનાર ઉપર ભીમકુંડની પાસેનું દેરૂં હાલ પણ કુમારપાળનું દેવું કહેવાય છે. ખંભાત તથા ધંધુકામાં પણ સરસ દેરાં કરાવ્યાં. શ્રીમાલી વણિક ઉદાયન મંત્રીના પુત્ર બાહડે શત્રુંજયની યાત્રા કરીને પાલીતાણાની પાસે બહાડપુર ગામ વસાવ્યું. બાહડના ભાઈ વાડ્મટ મંત્રીશ્વરે તે ગામમાં ત્રિભુવનપાળ વિહાર નામનું જીનાલય બાંધ્યું. કુમારપાળે પણ શત્રુંજય જવાને રસ્તે સમરાવ્યું. ને ગોઠી તથા ભાટના ભરણ પોષણ માટે જમીન આપી. ઈ. સ. ૧૧૫૭ માં બાહડ મંત્રીના હાથે શત્રુજ્યને ચોદમ ઉદ્ધાર થયે. શંત્રુજય માહાઓ જે ઈ. સ૪૨૦ માં ધનેશ્વર સૂરિએ સેરાટ્રના રાજા શિલાદિત્યની વિનંતિથી વલભીપુરમાં બનાવીને વાગ્યું હતું તેમાં પણ બાહડના ઉદ્ધાર વિષે અગાઉથી લખેલું છે. દેવપાટણમાં પણ કુમારપાળ દેરૂં કરાવેલું છે, તથા ત્યાં ભદ્રકાળીના લેખમાં લખેલું છે કે કાન્યકુમ્ભ દેશમાં નંદીશ્વરે શિવની આજ્ઞાથી ભાવબૃહસ્પતિ નામના બ્રાહ્મણના રૂપમાં જન્મ લીધે. ભાવબૃહસ્પતિએ બલ્લાલ, ધારાનગર તથા જાંગલ દેશના રાજારૂપી હાથીઓના કુંભસ્થળ ઉપર ફરનાર સિંહસમાન કુમારપાળને સોમનાથનું દેરૂં સમરાવવા વિનંતી. કરી. તેથી કુમારપાળે ભાવબહસ્પતિને જીર્ણોદ્ધારના કામમાં મુખ્ય ગંડ (ગેર) ની. જે દેરૂં સોમરાજે (ચંદ્ર) સુવર્ણનું, રાવણે રૂપાનું, કૃણે લાકડાનું, ને ભીમદેવે પથ્થરનું કરાવ્યું હતું, તે દેરૂં કુમારપાળે સમરાવ્યું. ને તેનું મેરૂમા