SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) જાય છે, તે ઉપરથી કૃષ્ણ કહે છે હે ભાઈ! ભવભયભીત બ્રાતા નેમિ ભગવંતે ભાખ્યું છે કે-વિષયરસથી પ્રાણી અનંત વિપત્તિ પામે છે, માટે મારા દુષ્કર્મને જે દેષ છે તે ટાળવા કોઈ સમર્થ નથી. તમે વૃથા પ્રયાસ કરે તજી દ્યો, ને ભરતદેશમાં જઈને વિમાન વિમુવીને મારી મૂર્તિ સ્થાપી લેકને કહેજે કે અમે હરિ ને રામ બંને જીવતા છીએ. અમે જગત ઉપજા વીએ છીએ, તેમજ સંહારીએ છીએ, ને તેથીજ અમે દ્વારિકા નિપજાવીને તેને સંહાર કર્યો છે. અમે કર્તા હસે છીએ ને અમારી એષણા પ્રમાણે ચાલીએ છીએ. એવી રીતે મહિમા વધારજો. એ સાંભળી બળભદ્રદેવે ભરત દેશમાં આવીને પિતાને પ્રભાવ બતાવીને ઠામઠામ કૃષ્ણના દેવાલયે કરાવ્યા. જે વિષ્ણુની પૂજા કરે તેને સુખી કરે, જે પૂજા ન કરે તેને દુઃખ દે. એવી રીતે કૃષ્ણવાસુદેવને મહિમા વધારી બળભદ્રદેવ પાછા સ્વર્ગમાં ગયા. પાંડવ ચરિત્ર હવે જરા કુમારે પાંડુમથુરામાં જઈ પાંડને કેતુભમણિ બતાવી દ્વારકાના દાહની તથા કૃષ્ણના કાળની સર્વવાત કહી. પાંચે પાંડે પણ તેને શેક કરી સંસારસમુદ્ર તરવાને દિક્ષારૂપી વહાણ લેવાને માટે નિરાધારના આધારશ્રીને મીશ્વરનું સ્મરણ કરતા હવા. પરમ કૃપાળુ પ્રભુએ પણ પ્રસંગ જાણી પાંડેને પ્રતિબોધ આપવા ધર્મઘેષ મહામુનિને પાંચસે સાધુ સહિત પાંડુમથુરા નગરીએ મોકલ્યા. મુનિને મધુર ને
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy