SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) હણ્યાનું પાપ હજી મારે રહ્યું છે કે હું તેમાંથી મુક્ત થયેલ છું? જ્ઞાનધન મુનિ કહે છે–તપ કર્યો શિવાય નદી કહ આદિ સ્થાને ભટકવાથી નિવિડ કર્મને નાશ થતું નથી. મિથ્યાત્વી તીર્થોમાં ભમવાથી માત્ર શરીરને કલેશ થાય છે એટલું જ ફળ મળે છે. માટે રેવતાચળ વિના બીજું કોઈ પણ સ્થાન તારા પાપને નિવૃત્તિકારક થશે થહીં. વસિષે પૂછ્યું: હે મુનિ! તે ક્ષેત્રને વિષે મારે શું તપ કરવું? મહા પાપકારી મુનિ! કહે છે : રાષ્ટ્ર દેશમાં ગીરનાર પર્વત ઉપર પાંચ ઇન્દ્રિયને વશ કરી શુદ્ધ ભાવથી અનાથનાથ શ્રી અરિષ્ટનેમિની આરાધના કરવી તેજ તપ છે. એમ સાંભળી આનંદ પામી ચંડાળના પાડાની પેરે પિતાના મઠને ત્યાગ કરી મનમાં નેમીશ્વરનું ધ્યાન ધરતો રૈવતાચળે પહોંચે. શિખરને પ્રદક્ષિણા દઈ વિક રણશુદ્ધિયુક્ત અંબિકા કુડે આવી તેનાં જળથી સ્નાન કર્યું તે અવસરે આકાશવાણું થઈ કે, હે રાષિ ! હવે તું હત્યાદિ પાપથી વિમુક્ત થયેલ છે. હવે વિશ્વનાથ નમીવરનું ભજન કર આકાશવાણી કાને પડતાં વસિષ્ઠ આહાદ પામે ને તરતજ કૃપારામ નેમીશ્વરનાં પ્રાસાદની અંદર પ્રવેશ કરી શુદ્ધ ભાવે ભલી ભક્તિથી સ્તવના કરી ધ્યાનારૂઢ થયે. તે ધ્યાનના પ્રભાવથી અલ્પકાળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું ને અનુક્રમે તાપસના વેષમાં જ મૃત્યુ પામી અમર થયે. તે માટે હેકૃષ્ણ! આ કુંડના સલિલનું સ્નાન-પાન કરવાથી વસિષ્ઠની પેરે સર્વ મનુષ્ય પવિત્ર થાય છે. મરૂત્પતિનાં એવાં વચનથી કૃષ્ણ તે કંડમાંથી જળ ભરી નેમીનાથને ઘેર આવ્યા. ત્યાં ઇંદ્ર સહિત
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy