________________
(૧૧૫). ને બીજીમાંથી ભાદરવો ભરપુર ચાલ્યા જાય છે. તૂટેલા હારમાંથી એક પછી એક સરી પડતાં મેતીની "અવિભક્ત ધારા બને છેડે અવિચ્છિન્નપણે ચાલે છે, તેમ બંને ચક્ષુમાંથી બાર બાર જેવા ઉષ્ણ આંસુનાં ટપોટપ ટપકાં પાડતી, ઘર, આભૂષણ, સુખ, સેવક, શરીર ઇત્યાદિક સંબંધી ઈચ્છાને અલગ કરતી, જંગમ તીર્થરૂપી તપસ્વી સાધુના વચનથી અપાર શોક વિસારતી, અનાથ, અબલા, નિમીશ્વર પરમેશ્વરના ચરણાંજની ભકિત કરૂં એવી ભાવના ભાવતી ચાલી જાય છે.
પક્ષુત્પિપાસાથી પીડાયલાં અણસમજુ શિશુ સમય ઓળખતાં નથી. આવા દુઃખદરીઆમાં ડુબેલી અંબિકાએ ધાર્યું કે, આ પુત્ર પ્રથમ મારા પ્રાણને અંત આણશે, માટે આત્મહત્યા કરૂં. વળી ચિંતન કરે છે. ધિ! ધિક! આ બે વત્સોની પણ વાંછના હું પૂરી પાડવા સમર્થ નથી. અરે ! હું ઘણું અશુભ કર્મની કરનારી છું. હે વસુંધામાતા ! મારા ઉપર અનુગ્રહ કરી મને વિવર દે કે તેમાં હું સમાઈ જાઉં, ને અગાધ શેકસાગરમાંથી નિવૃત્ત થાઉં. હે વિધાતા ! તે મને કેમ ઘડી? અહે દુખ ! તમને બીજા કેઈ સ્થલમાં રહેવાનું ન મળ્યું કે આવી રીતે અકસ્માત મારા ઉપર
૧ અવિભકત=સળંગ, અટકયા વગર, ૨ અવિચ્છિન્નપણે ત્યાં વગર, 8 આભૂષણે ઘરેણું, ૪ ચરણભાજ=કમળ જેવા પગ, ૫ ક્ષુત્પિપાસા=ભૂખ તરસ, કે અનુગ્રહ કૃપા, ૭ વિવર=દર, માર્ગ,