________________
( ૭
)
નથી. ગીરનારનાં બીજાં જળાશયોમાં પાણી જેવામાં આવતું નથી તે વખતે આ કુંડમાંથી જોઈએ તેટલું સ્વચ્છ પોણું મળી શકે છે. ત્યાં જવાને રસ્તે ઘણે સખત તેમજ વિકટ છે. કુંડની ઉપર કુદરતી કાળા પથ્થરની શિલાઓનું ઢાંકણ છે, જેથી સૂર્યનાં કારણે પણ ત્યાં જવા પામતાં નથી. કુંડમાં પ્રવેશ કરવા માટે ઘણેજ સાંકડે રસ્તો છે. એક માણસ પણ મુશ્કેલીથી અંદર જઈ શકે છે. આ કુંડનું પાણે હમેશાં એવું તે શીતળ ને આરેગ્યતા વર્ધક છે કે તેનું પાન કર્યાથી આત્માને અમૃત મળ્યું હોય તેમ આનંદ થાય છે.
[૩] ગબ્બર અથવા ગધેસિંહને ડુંગર પાંચમી ટુંકના નરૂત્ય ખુણમાં છે. ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે, પણ તેમાં કુંજ કુહ નામને ઝરે છે. તેને તાંતણીઓ ધરો કહે છે. રતનબાગમાંથી તેમાં પાણી આવે છે. તે ધર અગાધ છે. તેને પાર આવતું નથી તેથી શાશ્વતી પ્રતિમાના સ્થાને જવાતું નથી. તાંતણીઓ ધરે બીલખા તરફ થઈને હજતને મળે છે.
[૪] કાળીકા ટુંક જતાં પાંડવ ગુફાં આવે છે. તે ગુફા રતનબાગથી શરૂ થાય છે. તે છત્રાસા પાસેના પાટણવાવના ડુંગરમાં નીકળે છે. ત્યાં દેવીનું ધામ છે. એવી જ એક ગુફા માલ્યવંત અથવા માળી પરબથી નીકળી શત્રુંજય પર્વત આગળ સિદ્ધવડની પાસે હાલ જ્યાં આણંદપુર ગામ છે ત્યાં નીકળે છે, એમ સાંભળવામાં આવ્યું છે. આ ગુફા મુકી લક્ષમણગુફા જવાય છે.