SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જોઈએ. વિચારવું જોઈએ કે જે આ અસત્ય ભાષણ કરે છે તે મારે ક્રોધ કરવાની શી જરૂર છે? આ વિચાર કરવાથી આક્રોશ પરીષહજય થાય છે. (૧૩) માર માર અર્થાત્ હાથ, પગ, લાકડી અથવા ચાબુક વગેરેથી આઘાત કરે. શરીરને નાશવંત સમજીને તેને સમભાવથી સહન કરવું જ જોઈ એ આ શરીર પુદ્ગલેનું પિંડ છે. અને આત્માથી ભિન્ન જ છે. આત્મા નિત્ય છે, તેનો કદી નાશ થતો નથી. આથી આ મારા કરેલા કર્મોનું જ ફળ પ્રાપ્ત થયું છે. એવું વિચારીને તાડન વગેરે સહન કરનાર સાધુ વધ પરીષહને વિજેતા બને છે. (૧૪) વસ્ત્ર પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય આદિની પ્રાર્થનાને યાચના કહે છે. શ્રમણે બધું જ બીજાઓ પાસેથી જ મેળવવું પડે છે. સંકેચશીલ હેવાના કારણે શ્રમણ, યાચનામાં આદરવાન હોતા નથી પ્રગ૯ભ (નિડસ કેચ) શ્રમ એ અવશ્ય જ યાચના કરવી જોઈએ. આ રીતે કરવાથી યાચનાપરીષહજય થાય છે, (૧૫) યાચના કરવા છતાં પણ કઈ વસ્તુ હાજર હોય અથવા હાજર ન હોવાથી મળી ન શકે તે અલાભ કહેવાય છે જેની વસ્તુ છે તે તેને અધિકારી (સ્વામી) છે, આપવી અગ૨ ન આપવી તે માટે તે સ્વતંત્ર છે. તે કદાચિત આપે અથવા ન પણ આપે જે ન આપે તે અસંતોષ ન માન જોઈએ ઉત્તરાધ્યયનમાં કહ્યું પણ છે- સાધુનું કર્તવ્ય છે કે ગૃહરાએ પિતાના માટે જે ભોજન તૈયાર કર્યું હોય તેમાંથી પિતાના માટે ગવેષણ કરે, પરંતુ વિવેકશીલ સાધુ ભેજનના લાભ-અલાભના કારણે સત્તાપ કરે નહીં અર્થાત્ મળે અથવા ન મળે સમભાવ ધારણ કરે દશવૈકાલિકસૂત્રમાં પણ કહ્યું છે–ગૃહસ્થના ઘરમાં જુદા જુદા પ્રકારની ખાદ્ય સ્વાદીષ્ટ ભેજન વગેરે હાજર છે અને તે સારા એવા જથ્થામાં છે. પરંતુ આપવું ન આપવું એ સ્વામીની ઇચ્છા પર આધારીત છે. જે ન આપે તે વિવેક સાધુએ ક્રોધ કર ન કપે. (પંચમ અધ્યયન, દ્વિતીય ૯દેશક ગાથા ર૯) આ રીતે આહાર વગેરેને લાભ ન થવાથી સાધુના ચિત્તમાં વિકાર ઉદ્ભવે ન જોઈએ. આ અલાભપરીષહવિજય છે. (૧) તાવ, અતિસાર, દુધ સ, શ્વાસ આદિ રોગ ઉત્પન્ન થવા છતાં પણ ગ૭થી બહાર નિકળેલા જિનકપી આદિ સાધુ તેની સારવાર કરાવવા માટે પ્રવૃત્ત થતાં નથી. ગચ્છવાસી સાધુ અલ્પ-બહત્વની આલે ચના કરીને ગની વેદનાને સમ્યક પ્રકારથી સહન કરે છે અથવા આગમકત વિધિ અનુસાર તેની સારવાર કરાવે છે. આવી રીતે રોગ ઉત્પન્ન થવા પર સમભાવ ધારણ કરવાથી રોગપરીષહજય થાય છે. (૧૭) ગચ્છવાસી અને અનિત સાધુઓ માટે છિદ્રવગરના ઘાસ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ७४
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy