SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ મનને અંકુશમાં રાખનારાં છે, આ કારણે એમને આભ્યન્તર કહેવામાં આવ્યા છે. “પ્ર” અર્થાત્ પ્રકૃટ (ઉત્કૃષ્ટ) “અય' અર્થાત અપ્રશસ્ત-શુભંકર વિધિને પ્રાય' કહે છે જેને અર્થ ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રકૃષ્ટ ચિત્તવાળા સાધુપુરૂષનું ‘ચિત્ત જેમાં હોય તે “પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આત્મશુદ્ધિ કરનાર કિયા. વિશેષને પ્રાયશ્ચિત્ત કહે છે અથવા “પ્રાયને અર્થ અપરાધ છે. તે ચિત્ત અર્થાત શોધનને પ્રાયશ્ચિત્ત કહે છે. કહ્યું પણ છે-“પ્રાયને અર્થ થાય છે લેક અને ચિત્તને અર્થ થાય છે–તેનું મન ચિત્તની શુદ્ધિ કરનાર કૃત્ય પ્રાયશ્ચિત્ત કહેવાય છે. જેના દીક્ષા પર્યાયમાં જયેષ્ઠ મુનિ આદિને આદર કરે વિનય છે. કાયિક વ્યાપારથી અથવા અન્ય કચેથી ઉપાસના કરવી વૈયાવૃત્ય છે. શરીરથી પીડિત મુનિના પગ દબાવ અથવા અન્ય પ્રકારથી તેમની આરાધના કરવી હૈયાવૃત્ય છે. જ્ઞાન ભાવના માટે મૂળસૂત્રોનું પઠન કરવું સ્વાધ્યાય છે. ચિત્તને એકાગ્ર કરવું ધ્યાન છે અથૉત્ ધર્મધ્યાન અને શુકલધ્યાન કરવું ધ્યાન તપ કાયાની ચેષ્ટાનો પરિત્યાગ કરે યુત્સર્ગ છે. દર તવાર્થનિયંતિ–પહેલાં તપને સંવરના કારણરૂપ કહેવામાં આવ્યું. તપના બે ભેદ છે-બાહા તથા આભ્યન્તર બાહ્યા તપના અનશન આદિ છે. ભેદ છે એ પહેલા સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવી ગયું છે, હવે આભ્ય. તર તપના છ ભેદ કહીએ છીએ આભ્યન્તર તપના છ ભેદ છે-(૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃય (૪) વાધાય (૫) ધ્યાન અને (૬) વ્યુસમાં આરીતે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વાધ્યાયધ્યાન અને વ્યુત્સર્ગ આ છ આભ્યન્તર તપ કહેવાય છે. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) પ્રાયશ્ચિત્ત-મૂળ અથવા ઉત્તરગુણમાં કઈ અતિયાર લાગ્યો હોય તેમજ તે ચિત્તને કલુષિત બનાવતા હોય તો તેની શુદ્ધિ કાજે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, પાપને છેદ (વિનાશ) કરવાના) કારણે તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૨) વિનય–જેના સેવનથી જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ વિનીતદૂર થાય છે, તે વિનય તપ છે. (૩) વૈયાવૃત્ય- શ્રતના ઉપદેશ અનુસાર શુભ વ્યાપારવાનને ભાવ અથવા કમ વૈયાવૃત્ય કહેવાય છે અર્થાત પિતાના કર્મોની નિર્જરા માટે ઉદાસીન મુનિની સેવા-શુશ્રુષા કરવી વૈયાવૃત્ય તપ કહેવાય છે. (૪) સુ અર્થાત્ સમીચીન રૂપથી-મર્યાદા સહિત-કાળ-વેળાને પરિહાર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૭૧
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy