SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ માટે કરવામાં આવે છે. ભિક્ષા માટે વિચરણ કરવું ભિક્ષાચર્યા છે. આ આઠ પ્રકારના ગોચરાગ્ર, સાત એષણા તથા અન્ય અભિગ્રહ રૂપ છે. આનું બીજું નામ વૃત્તિપરિસંક્ષેપ” પણ જાણીતું છે. ઈદ્રિના ઉમાદનું તથા નિદ્રા આદિનો નિગ્રહ કરવા માટે દૂધ, દહીં, ઘી આદિ પૌષ્ટિક આહાર-પાણીને, ત્યાગ કરે રસપરિત્યાગ તપ છે. “વીર રહી દામાણું ઉત્તરાધ્યયનમાં અહીં જે “આદિ શબ્દને પ્રગ કરવામાં આવ્યું છે તેનાથી તીખા, કડવા અને કસાયેલા વગેરે રોનું પણ ગ્રહણ કરી લેવું જોઈએ. ઇન્દ્રિયની પ્રબળતાને દબાવવા કાજે, નિદ્રાવિજયને માટે તથા સ્વાધ્યાય આદિની સિદ્ધિ માટે દૂધ વગેરે પૌષ્ટિક રસોને ત્યાગ કર રસપરિત્યાગ નામક ચોથું તપ છે. શુભ પરિણામને ઉત્પન્ન કરવા માટે અને મોક્ષસુખને પ્રાપ્ત કરવા માટે વીરાસન, ઉકુટુકાસન વગેરે અઘરાં આસન કરવા કાયકલેશ તપ છે. આ પાંચમું તપ છે. આ તપને હેતુ છે–શારીરિક કષ્ટને સહન કરવા, સુખમાં આસકિત ઉત્પન્ન ન થવા દેવી અને પ્રવચનની પ્રભાવના. પ્રશ્નપરીષહ અને કાયકલેશમાં શે ભેદ છે? ઉત્તર–પરીષહ તે કષ્ટ છે જે પિતાની મેળે આવી પડે છે પરન્ત કાયાકલેશ રવેચ્છાપૂર્વક ઉત્પન્ન કરવામાં આવે છે. બંનેમાં આ તફાવત છે. બ ા દ્રવ્યોની અપેક્ષા હોવાથી, બીજાઓને પ્રત્યક્ષ હોવાથી કાયકલેશ બાહ્ય તપ કડેવાય છે. સાલીનતા ચાર પ્રકારની છે–(૧) ઇન્દ્રિયસંલીનતા (૨) કષ સંલીનતા (૩) રોગ સંલીનતા અને (૪) વિવિકતચર્યાસંલીનતા ઇનિદ્રાનું ગોપન કરવું ઈન્દ્રિયસંલીનતા છે, કષાયના ઉદયને નિરાધ કર કષાયસલીનતા છે. મન વચન અને કાયાને અશુભ વ્યાપારમાં પ્રવૃત્ત ન થવા દેવી યોગસલીનતા છે અને એકાત, જ્યાં લેકે નું આવાગમન ન હોય તથા જે સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત હોય એવા શયનાસનનું સેવન કરવું વિવિકતચર્યા છે. આ પ્રતિસંલીનતા નામક છડું બાહ્ય તપ છે. ૬૧ તવાનિયુકિત-પહેલાં કર્માસવનિરોધ રૂપ સંવરનું કારણ તપ છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. તે તપના બાર ભેદ છે-છ બાહ્યા તથા છ આવ્યન્તર એ પણ કહેવામાં આવ્યું છે. હવે પ્રથમ બાહા તપના છે ભેદની પ્રરૂપણ કરીએ છીએ બાહા તપ છ પ્રકારના છે–અનશન, અવમૌદર્ય, ઉનેદરતા, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકશિ અને પ્રતિસંલીનતા જે તપ બહાર હોય અને બહારથી જાણી શકાય તે બાહ્ય તપ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૬૭
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy