SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ સેપક્રમ અને નિરૂપકમ બે પ્રકારના આયુષ્યનું નિરૂપણ સૂ. ૪૧ ૭૭ વર્તનીય હોય છે તે નિયમથી સાપક્રમ હોય છે. આથી સિદ્ધ થયું કે અપવર્તનીય આયુષ્ય સર્વદા સેપકમ જ હોય છે કારણકે અધ્યવસાન વગેરે નિમિત્ત સિવાય અપવર્તનીય થઈ શકતું નથી આ રીતે આયુષ્યની અપવત્તના જ લેકમાં અકાલમરણના રૂપમાં પ્રસિદ્ધ છે. હકીકતમાં કઈ પણ પ્રાણી અધુરું આયુષ્ય ભોગવીને મરતું નથી. - સાર એ છે–ભેગવવા ગ્ય આયુષ્યના ત્રણ ભાગમાંથી બે ભાગ જ્યારે વ્યતીત થઈ જાય છે અને ત્રીજો ભાગ બાકી રહે છે ત્યારે પરભવનું આયુષ્ય બંધાય છે. કદાચિત તે સમયે ન બંધાયું હોય તો નવમો ભાગ શેષ રહેવા પર બંધાય છે અને જે તે સમયે પણ ન બંધાય તે ભેગવનાર આયુષ્ય અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યારે તે ચેકસ બંધાય જ છે. અન્ય સાત કર્મોની જેમ આયુષ્યનું નિરતર બંધન થતું નથી જીવનમાં એક જ વાર આયુષ્યકર્મ બંધાયા છે. પૃથ્વીકાય, અપૂકાય તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચતુરિન્દ્રિય અને નિરૂપક્રમ આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય નિયમથી વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેવા પર નવીન આયુષ્યને બંધ કરે છે. સેપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિ માટે એવો નિયમ નથી. તેઓ ત્રીજા ભાગમાં, નવમાં ભાગમાં અગર ર૭માં ભાગમાં આગામી ભવનું આયુષ્ય બાંધે છે. જીવ જ્યારે આયુષ્ય બાંધે છે તે અધ્યયસાયની વિશેષતાથી કઈ અપવર્નના યેચુ આયુષ્ય બાંધે છે અને કોઈ અનાવર્તનીય આયુ બાંધે છે. તીવ્ર પરિણામ દ્વારા જે ગાતુ આયુષ્ય બાંધે છે તે અપવર્તનીય હોય છે. અપવર્તનીયને અર્થ છે-પૂર્વજન્મમાં બાંધેલા આયુષ્યની સ્થિતિનું અધ્યવસાન વગેરે કારણેમાંથી કેઈ કારણ દ્વારા અલ્પ થઈ જવું અને આયુષ્યને અનપવર્તનને અર્થ એ થાય કે જેટલા સમયનું આયુષ્ય બાંધવું હોય તેટલા જ સમયમાં ભેગવવા ગ્ય હોવું તે આ આયુષ્ય તેની સમય મર્યાદા અનુસાર જ ભેગવાય છે, હાસન, પ્રાપ્ત થતું નથી. જેમ કેઈ પ્રકારનું વિશ્ન નડે નહીં તે તેલ અને વાટને ક્ષય થવાથી દીવાનું એલવાઈ જવું આ આયુષ્ય પ્રબલતર વીર્ય-પરાક્રમથી બાંધવામાં આવતું હોવાથી અપવર્તનીય હોતું નથી. આ રીતે ગાઢ બંધનના કારણે-નિકાચિત રૂપે બંધાયેલું હોવાથી આયુષ્ય અનપત્તનીય હોય છે. અથવા એક નાડિક દ્વારા પરિગ્રહીત આયુષ્ય સમુદાયરૂપ હોવાથી એકત્રિત થયેલા પુરુષોના સમુદાય જેવું અથવા એક નાડિકાના વિવરમાં નાખેલા બીજથી ઉત્પન્ન ધાન્ય સમૂહની જેમ અભેદ્ય હોય છે પરંતુ છિદ્રથી બહાર પડેલા બીજથી ઉત્પન્ન ધાન્ય સઘન ન હેવાથી તે ગાય ભેંસ વગેરે પશુઓ માટે ઉપયોગમાં લેવાય છે. આ રીતે આયુષ્યને બંધ કરતો થકે આ જીવ અનેક આત્મલબ્ધ પરિણામ સ્વભાવ હોવાથી શરીર વ્યાપી હોવાથી નાડિકામાગ પરિમાણવાળ હોય છે. ત્યારબાદ તે અવસ્થાને પ્રાપ્ત કરીને જીવ જે આયુષ્યના પુગળને બાંધે છે તે આયુષ્ય પુગળ નાડિકા પ્રવિષ્ટ હોવાથી સંહતિ (સઘન) રૂપે હોય છે આથી ઝેર, શસ્ત્ર, અગ્નિ વગેરે માટે અભેદ્ય હોય છે. મન્દ તીવ્ર પરિણામ હોવાથી તે જીવ તે આયુષ્યને જન્માંતરમાં જ બાંધે છે, આ જન્મની વ્યાધિની જેમ. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ७७
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy