SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રને આવી રીતે જે ઘણા દીર્ઘકાલિક આયુષ્ય ઝેર, અગ્નિ, પાણી, કાંસા વગેરે કારણેાથી અલ્પકાલિક થઈ જાય છે તે સાપક્રમ-અપવ આયુષ્ય કહેવાય છે પરંતુ પૂર્વાંકત કારણેાથી જે દીર્ઘકાલીન આયુષ્ય અલ્પકાલીન થતું નથી તે નિરૂપક્રમ કહેવાય છે તેને અપવ આયુષ્ય પણ કહે છે !! ૪૧ ॥ ७६ તત્વાથ નિયુકિત- —નક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સંસારમાં આયુષ્યની સ્થિતિ શું વ્યવસ્થિત છે ? અથવા શું અકાળ મરણ પણ થાય છે ? આ જાતની શંકા થવાથી કહે છે— આયુષ્ય એ પ્રકારનાં હાય છે– અપવતનીય અને અનપવત્તનીય-અનપવનીય આયુષ્યનાપણ બે પ્રકાર છે—સેાપક્રમ અને નિરૂપક્રમ. જે આયુષ્ય ઉપક્રમણ અથવા ક્ષયવાળુ હાય તે સાપક્રમ કહેવાય છે. લાંબા સમય સુધી ભાગ્ય આયુષ્ય જે કારણ વિશેષથી અધ્યવસાન વગેરે નિમિત્તથી અલ્પકાલીન થઈ જાય છે તે કારણ ઉપક્રમ કહેવાય છે, તેને સ્વલ્પકરણ અથવા પ્રત્યાસનીકરણ પણ કહી શકાય કારણકે તેનાથી આયુષ્ય સ્વપ થાય છે અથવા તેના અંત નજીકમાં આવી જાય છે. જે આયુષ્ય આ પ્રકારના ઉપક્રમથી સહિત હાય તેને સેક્રમ આયુષ્ય કહે છે. જે આયુષ્યમાં ઝેર, અગ્નિ જળસમાધિ વગેરે ઉપક્રમ લાગુ ન થઈ શકે તે નિરૂપક્રમ કહેથાય છે ત્યાં અધ્યવસાન વગેરે કારણ હાતા નથી. શંકા--જેવી રીતે દીર્ઘકાળની સ્થિતિવાળું આયુષ્ય કારણ મળવાથી અલ્પકાલીન થઈ જાય છે તેવી જ રીતે શું અલ્પકાલીન આયુષ્ય રસાયણ વગેરેના સેવનથી વૃદ્ધિ પ્રાપ્ત કરી દીધંકા. લીન પણ થાય છે. ? સમાધાન -જે આયુષ્ય દીર્ઘકાલીન રૂપે બંધાયેલું નથી એવા અલ્પ આયુષ્યની વૃદ્ધિ થવી શકય નથી. હકીકત એ છે કે પૂર્વજન્મમાં જે આયુષ્ય જેટલુ' બધાયુ હેાય આગલા જન્મમાં તે બધું ભોગવવું જ પડશે. તેમાં કોઈ ઘટાડા અગર તેા વધારા થતા નથી. માત્ર એર, શસ્ત્ર વગેરે કારણ ઉપસ્થિત થવાથી દીકાળ સુધી ભાગવાનાર આયુષ્ય અલ્પેસમયમાં જ ઝટ-ઝટ ભેાગવી લેવાય છે; દાખલા તરીકે એક મહીનામાં પાકનારા, ઝાડમાં લાગેલા ફળને તાડીને જો પાકમાં નાખવામાં આવે તો તે એ કે ત્રણ દિવસમાં પાકી જાય છે અને એક માસમાં થનારા ફળની પરિપક્વતાની વિભિન્ન અવસ્થા પાકમાં દબાયેલા ફળમાં પણ હોય છે. પરંતુ તે જલ્દી જલ્દી થઈ જાય છે. એવી જ રીતે જીવે આયુષ્યકના જેટલા પ્રદેશેાના બન્ધન કર્યાં છે તે તમામ તેા ઉદયમાં આવ્યા વગર નાશ પામી શકતા નથી, પછી ભલે સાપક્રમ આયુષ્ય હાય કે નિરૂપક્રમ, સંપૂર્ણ આયુષ્ય ભોગવવું જ પડે છે. ફરક માત્ર એટલેા જ છે કે ઝેર, અગ્નિ વગેરે ઉપક્રમ મળવાથી દીર્ઘકાળમાં જે આયુષ્ય ભાગવવાનું હતું, તે જલ્દી ઉદયમાં આવી જાય અને ભાગવી લેવાય છે. આવી સ્થિતિમાં આયુષ્યની વૃદ્ધિ કઈ રીતે થઈ શકે ? અમૃત--રસાયણુનું સેવન કરવાથી પણ બાંધેલું આયુષ્ય વધતુ નથી. લાંબા પથરાયેલા વસ્ત્રને સ’કેલીને થોડી જગ્યામાં સમાવી શકાય છે પરંતુ વધુ લાંબુ કરી શકતું નથી. એવી જ રીતે જે આયુષ્યના દલિક થેાડા બંધાયા હોય તેને લાંબા કરવાનું શકય નથી. જે અયુષ્ય અપ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ७९
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy