SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ તત્ત્વાર્થ સૂત્રના શરૂઆતના ત્રણ વાસ્તવમાં મનુષ્ય છે અને ભવ્યદ્રવ્યદેવ મનુષ્ય અથવા તિયાચ છે—કેટલીક વિશેષતાઓના કારણે જ તેમને દેવ કહેવામાં આવ્યા છે આથી ભાવદેવાના ભેદ ચાર જ સમ જવા જોઈએ. ભગવતી સૂત્રના પ્રથમ શતકના સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે—દેવ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે—ભવનપતિ, વાણુન્યન્તર, જાતિથ્ય અને વૈમાનિક ॥૧૬॥ 'તત્વ અવળવદ વિહા' ઈત્યાદિ ॥ ૨૭ ॥ સૂત્રા—ભવનપતિદેવ દશ પ્રકારના છે--અસુરકુમાર નાગકુમાર, સુવર્ણ કુમાર, વિષ્ણુહુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર. ઉદધિકુમાર. દિશાકુમાર, વાયુ-પવનકુમાર અને સ્તનિત કુમાર ૫ ૧૭ ૧ તત્ત્વાર્થં દીપિકા—પૂર્વસૂત્રમાં ભવનપતિ, વાનચતર, ચેાતિષ્ઠ અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના દેવાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે; હવે તેમાં સૌથી પહેલા ગણવામાં આવેલા ભવનપતિના દશ અવાન્તર ભેદોનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— તેમાંથી અર્થાત્ ચાર પ્રકારના ભવનપતિ, વાનભ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવામાંથી ભવનપતિ ક્રશ પ્રકારના હેાય છે—(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત્સુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉન્રુષિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્તનિતકુમાર દ્વન્દ્વ સમાસને છેડે જોડાયેલ પત્તુ બધાની સાથે લગાવી શકાય છે એ નિયમાનુસાની ‘કુમાર' શબ્દ અહી બધાની સાથે જોડવામાં પાવે છે આ ભવનપતિ દેવ ‘ભવનવાસી' પણ કહેવાય છે ! ૧૭૫ તત્ત્વાર્થનિયુકિત—આની પહેલા ભવનપતિ, વાનવ્યતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના દેવાનું પ્રતિપાદન કરવામા આવ્યું છે. હવે તેમાંથી સૌ પ્રથમ ગણાવેલા ભવનવાસિએના દેશ વિશેષ ભેદ બતાવીએ છીએ પક્તિ ભવનવાસી, વાનન્યતર, જ્યાતિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવામાંથી– ભવનપતિ દેવ દશ પ્રકારના છે. તેમના નામ આ છે—(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ - કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉષિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્તનિતકુમાર અસુર--નાગ આદિમાં મૂળસૂત્રમાં દ્વન્દ્વ સમાસ છે અને દ્વન્દ્વ સમાસને છેડે જોડેલું પદ દરેક શબ્દની સાથે જોડી શકાય છે એ નિયમના અનુસાર અહી દશે ભેદાની સાથે કુમાર શબ્દને પ્રયાગ કરવામાં આવ્યે છે. આ દશે ભવનેમાં નિવાસ કરવાના સ્વભાવવાળા છે આથી તે ભવનવાસી પણ કહેવાય છે તેમના નિવાસ ભૂમિમાં હાવાથી ભવન કહેવામાં આવે છે તે ભવનામાં જે વાસ કરે છે તે ભવનવાસી કહેવાય છે. આ બધાં કુમારની જેમ જોવામાં કમનીય હાય છે. સુકુમાર હાય છે. તેમની ગતિ ઘણી લલિત, કલિત, કોમળ અને મધુર હાય છે સુંદર શૃંગાર રૂપ અને વિક્રિયાથી યુક્ત હાય છે કુમારાના જેવુ' રૂપ, વેશભૂષા, ભાષા આયુધ, ચાન, વાહન અને ચરણુન્યાસવાળા, કુમારોની માફક જ રાગવાનું તથા ક્રીડાપરાયણ હાય છે આ કારણે જ એમને કુમાર કહે છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २४२
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy