SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪ ચાર પ્રકારના દેવોનું નિરૂપણ સૂ. ૧૬ ૨૪૧ ભવનપતિ દેવ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર અને નીચેના એક એક હજાર જન ક્ષેત્રને છોડીને જન્મ લે છે. વાનગૅતર આ જ રત્નપ્રભાકૃવીની ઉપર છેડી દીધેલા એક એક હજાર જન ક્ષેત્રમાંથી ઉપર-નીચે એક-એક સે જન છેડીને મધ્યના આઠસો પેજનેમાં ઉત્પન્ન થાય છે. જ્યોતિષ્ક દેવ આ સમતલ ભૂમિભાગથી સાત નવુ જન ઉપરથી લઈને એક દશ એજનમાં અર્થાત્ સાતસો નેવું જનની ઉંચાઈથી લઈને નવસો સુધીના એકસો દશ પેજનેમાં ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવ જ્યોતિષ્ક દેવાથી દઢ રજજુ ઉપર સૌધર્મ દેવલોકથી લઈને સર્વાર્થ સિદ્ધ વિમાન પર્યન્તમાં જન્મ ધારણ કરે છે. આ પ્રકારે ઉત્પાદ અને નિવાસ સ્થાનના ભેદથી દેવ ચાર પ્રકારના કહેવામાં આવે છે. ભવનપતિ આદિ દેવ પોત-પોતાના સ્થાનમાં ઉત્પન્ન થઈ અન્યત્ર લવણસમુદ્ર, મન્દરાચલ, હિમાવાન, પર્વત તથા તરૂગહન આદિમાં પણ પૂર્વોક્ત સ્થાનોને છોડીને નિવાસ કરે છે. હા, આ સ્થાનમાં તેમનો જન્મ થતું નથી– અત્રે શંકા કરી શકાય કે ભગવતી સૂત્રના બારમાં શતકના નવમાં ઉદ્દેશકમાં, પાંચ પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે. ભગવતી સૂત્રનું તે કથન નીચે લખ્યા મુજબનું છે પ્રશ્ન–ભગવંત ! દેવ કેટલા પ્રકારના કહ્યા છે. ? ઉત્તર–ગૌતમ! પાંચ પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે, જેમ કે (૧) ભવ્યદ્રવ્યદેવ (૨) નરદેવ (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ અને (૫) ભાગદેવ (૧) ભવ્યદ્રવ્યદેવ—જે પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય દેવાયુષ્ય કર્મ બાંધવું હોય તેમજ જે ઉત્તર જન્મમાં દેવના રૂપમાં ઉત્પન્ન થવાના હોય,તે આગામી દેવપર્યાયની અપેક્ષાથી ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે. આ કથન લાકડા કાપવાના ઉદાહરણથી નૈગમનયની અપેક્ષા સમજવું જોઈએ. (૨) નરદેવ—ચૌદ રત્નના અધિપતિ ચક્રવતી નરદેવ કહેવાય છે કારણ કે અન્ય મનુષ્યની અપેક્ષા તેઓ ઉત્કૃષ્ટ હોય છે. (૩) ધર્મદેવ–સાધુ ધર્મદેવ છે કારણ કે તેઓ પ્રવચનમાં પ્રતિપાદિત અર્થનું અનુષ્ઠાન કરે છે અને તેમના વ્યવહારમાં સમીચીન ધર્મનું પ્રાધાન્ય હોય છે (૪) દેવાધિદેવ—જેમને તીર્થકર નામકર્મને ઉદય છે જેઓ કૃતાર્થ થઈ ચુક્યા છે અને અહન છે તેઓ દેવાધિદેવ કહેવાય છે કારણ કે તેઓ ધર્મોપદેશ દ્વારા ભવ્ય જીવે પર અનુગ્રહ કરે છે અને અન્ય દેવે દ્વારા પણ પૂજનીય હોય છે. (૫) ભાગદેવ-ભવનપતિ, વાનગૅતર, તિષ્ક અને વૈમાનિક દેવ જેમને દેવગતિ નામકર્મને ઉદય છે, ભાવદેવ કહેવાય છે કારણ કે તેઓ અતિશય ક્રીડામાં રચ્યાપચ્યા રહે છે. આ રીતે જે દેવ પ્રાંચ પ્રકારના છે તે આપે ચાર પ્રકારના કેમ કહ્યાં ? આ પ્રશ્નનો ઉત્તર આ છે—અહીં માત્ર ભારદેવેની જ વિવક્ષા-વિવરણ-કરવામાં આવ્યું છે આથી જ દેના ચાર ભેદ કહેવામાં આવ્યા છે. આ સિવાય પૂર્વોક્ત પાંચ પ્રકારના દેવામાં ૩૧ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૨૪૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy