SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩ બન્ધના સ્વરૂપનું નિરૂપણ સૂઈ ૨ ૧૭૧ જ્ઞાનાવરણ વગેરે કર્મોને આત્મપ્રદેશની સાથે એકમેક થવું તે બન્યું છે તેને પિતાના સ્વભાવથી ચુત ન થવું સ્થિતિ છે તાત્પર્ય એ છે કે આત્મપ્રદેશની સાથે કર્મ પુદુગલેના બદ્ધ રહેવાના કાળની જે અવધિ છે, તે સ્થિતિબન્ધ છે. સ્થિતિ શબ્દ પણ ભાવસાધન છે અર્થાત રોકાવું તેને સ્થિતિ કહે છે. ગૃહીત વસ્તુને રોકાવવાના સમયની મર્યાદા સ્થિતિ કહેવાય છે જેમ ગાય વગેરેના દૂધની મીઠાશ–સ્વભાવથી વેગળા ન થવું તે સ્થિતિ છે તેજ પ્રકારે જ્ઞાનાવરણીય આદિ કર્મોથી જ્ઞાનાચ્છાદન આદિ સ્વભાવથી અલગ ન બનવું તે સ્થિતિ છે તારણ એ છે કે આત્મા દ્વારા ગ્રહણ કરેલી કર્મ–પુદ્ગલેની રાશિનું આત્મપ્રદેશમાં આવસ્થિત રહેવું સ્થિતિ છે. તેના દ્વારા અગર તેના રૂપમાં થનાર બન્ધ સ્થિતિ બન્યું છે. અનુભાગ અર્થાતુ અનુભાવ. કમ પુદ્ગલામાં રહેલું એક વિશેષ પ્રકારનું સામર્થ્ય અનુભાગ છે. તાત્પર્ય એ છે કે ગ્રહણ કરવામાં આવતા કર્મ પુદ્ગલેમાં તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અથવા મંદ મંદતર અને મંદતમ ફળ પ્રદાન કરવાની જે શક્તિ ઉત્પન્ન થાય છે તેને અનુભાગ બન્ધ કહે છે કર્મોનો અનુભવ કષાયની તીવ્રતા–મન્દતા અનુસાર થાય છે અને આ કારણથી જ તે અનેક પ્રકાર છે. કેઈ અનુભાગ દેશઘાતી તે કેઈ સર્વઘાતી હોય છે. કેઈ એક સ્થાનક, કઈ દ્રિસ્થાનક, કેઈ ત્રિસ્થાનક તે કઈ ચતુઃસ્થાનક હોય છે. આત્માના પ્રદેશમાં કર્મ પુદ્ગલ દ્રવ્યના પરિણામને પરિચ્છેદ પ્રદેશ બન્યું છે. આમ આત્માના અધ્યવસાયના કારણે પુદ્ગલેનું પરિણમન વિચિત્ર પ્રકારનું થાય છે. જેમ લાડ વાયુ અને પિત્તને હરવાવાળો. બુદ્ધિવર્ધક, સંમોહકારી હોય છે, વગેરે રૂપથી જીવના સાગથી તે જુદા જુદા આકારમાં પરિણત થાય છે એવી જ રીતે કર્મ વર્ગણાના પદગલેની કઈ રાશિ આત્માના સંબંધથી જ્ઞાનનું આવરણ કરે છે, કોઈ દર્શનનું આવરણ કરે છે કેઈ સુખ-દુઃખની અનુભૂતિનું કારણ હોય છે, કેઈ તના વિષયમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે વગેરે કહ્યું પણ છે – આવી રીતે કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃતિએ કહેવામાં આવી છે તેમની સ્થિતિના કાળનું જે કારણ છે તે સ્થિતિબન્ધ કહેવાય છે. એના તે પ્રકૃતિઓના વિપાક-ફળનું જ કારણ છે. જે તેમના નામ અનુસાર ભિન્ન-ભિન્ન પ્રકારના છે તે રસને અનુભાવ કહે છે. તેમાં કોઈ તીવ્ર, કેઈ મન્દ અને કઈ મધ્યમ હોય છે. રા તે પૂર્વોક્ત કર્મ સ્કને જીવ દ્વારા સંપૂર્ણ પ્રદેશથી યેાગ વિશેષ દ્વારા ગ્રહણ થવું પ્રદેશબન્યું છે. એવા આત્માને પ્રત્યેક પ્રદેશ અનન્ત-અનન્ત કર્મપ્રદેશથી બંધાયેલ છે. આ જીવ નિરન્તર કેગના કારણે કર્મોને બધ કરે છે અને તેમની નિર્જરા પણ કરતા રહે છે. કા સમવાયાંગ સૂત્રનાં ચોથા સમવાયમાં કહ્યું છે. અન્ય ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે તે આ પ્રકારે છે – (૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિબન્ધ (૩) અનુભાવબધ અને (૪) પ્રદેશ બન્ધ ારા ઘs is fમછારવિરા' ઇત્યાદિ મૂળ સૂવા–કર્મબન્ધના પાંચ કારણ છે. (૧) મિથ્યાદર્શન (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) યેગ. ૩ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૭૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy