SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ તત્વાર્થસૂત્રને જુદા જુદા પ્રકારની પ્રકૃતિએ અર્થાત જ્ઞાનાદિ ગુણેને આવૃત્ત કરવાના વિભિન્ન સ્વભાવનું ઉત્પન્ન થઈ જવું પ્રકૃતિબન્ધ છે. ૨. સ્થિતિબન્ધ---પરિણામ વિશેષ દ્વારા ગ્રહણ કરેલા કર્મના દલિકની આત્માની સાથે બંધાયેલા રહેવાની કાળ મર્યાદાને સ્થિતિબન્ધ કહે છે અથવા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ પ્રકૃતિઓના જઘન્ય આદિ ભેદથી ભિન્ન અવસ્થાનનું નિર્વતન સ્થિતિબન્ધ કહેવાય છે. ૩. અનુભાગબન્ય--અનુભાગ અથત ગૃહીત કર્મ દલિઓમાં ઉત્પન્ન થનારા તીવ્ર અગર મંદ રસ, તેને બન્ધ અનુભાગબન્ધ કહેવાય છે. ૪. પ્રદેશબન્ય–જીવપ્રદેશમાં, કમ પ્રદેશમાં અનન્ત કર્મપ્રદેશનું પ્રત્યેક પ્રકૃતિમાં નિયત પરિમાણના રૂપમાં સંબંધ કે પ્રદેશબબ્ધ છે. કર્મદલિને સંચય પ્રદેશ બન્ધ કહેવાય છે. આથી સ્થિતિ અને રસની અપેક્ષા ન રાખતા દલિની સંખ્યાની પ્રધાનતાથી જ જે બન્યા થાય તેને પ્રદેશ બન્થ સમજવો જોઈએ. કહ્યું પણ છે. પરિણામને પ્રકૃતિ કહે છે કાળની અવધિને સ્થિતિ કહે છે, રસને અનુભાગ અને દલિકેના સમૂહને પ્રદેશ કહે છે. આ ચાર પ્રકારના બન્ધામાં પ્રકૃતિ અને પ્રદેશ બન્ધ યોગના નિમિત્તથી થાય છે તથા સ્થિતિબન્ધ તથા અનુભાગબધુ કષાયના નિમિત્તથી થાય છે. પેગ અને કષાયની તીવ્રતા અને મન્દતાના ભેદથી બન્યમાં જુદાઈ થઈ જાય છે કહ્યું પણ છે–ગથી પ્રકૃતિ અને પ્રદેશ બન્ય તથા કષાયથી સ્થિતિ અને અનુભાગબધે જીવ કરે છે. જે જીવને યોગ અને કષાય અપરિણત હોય છે અથવા નાશ પામે છે, તેને વિશેષ સ્થિતિબન્ધનું કારણ રહેતું નથી. ઉપશાન્ત કષાય વીતરાગ અર્થાત્ ૧૧ માં ગુણસ્થાનકના જીવ અપરિણત યુગ કષાયવાળા કહેવાય છે અને ક્ષીણ કષાય આદિ જીવ વિનષ્ટ ગ–કષાયવાળા કહેવાય છે. આવા જીને જે કર્મબન્ધ થાય છે તેમાં બે સમયથી અધિક સ્થિતિ પડતી નથી. છે સૂ. ૨ છે તત્વાર્થનિયુક્તિ-પાછલા સૂત્રોમાં પ્રતિપાદિત બન્ધ શું એક પ્રકારની છે કે અનેક પ્રકારને ? એવી આશંકા થવા પર કહીએ છીએ પ્રકત કર્મબન્ધ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. (૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિબન્ધ (3) અનુભાગબન્ધ (૪) પ્રદેશબલ્પ પ્રકૃતિને અર્થ છે—મૂળ કારણ અહીં તેને આશય સ્વભાવ છે. જેમ-શીતળતા એ પાણીને સ્વભાવ છે અથવા આ પુરૂષ દુષ્ટ પ્રકૃતિ છે એને અર્થ છે આ પુરૂષ નઠારા સ્વભાવવાળે છે એવી ઉકિત લોકમાં પ્રસિદ્ધ છે. જ્ઞાનાવરણ કર્મની પ્રકૃતિ અથવા સ્વભાવ જ્ઞાનને આચ્છાદિત કરે છે આ કારણે જ્ઞાનાવરણ કર્મના ઉદયથી પદાર્થોના જ્ઞાનને અભાવ હોય છે ! દર્શનાવરણ કર્મના ઉદયથી પદાર્થોના આલેચન (સામાન્ય જ્ઞાન)ને અભાવ હોય છે, એજ પ્રકારે વેદનીય આદિ કર્મોની પણ વિભિન્ન પ્રકૃતિએ સમજી લેવી જોઈએ સ્વભાવને વાચક પ્રકૃતિ શબ્દ સ્વભાવને સાધક છે. પ્રકૃતિરૂપ બંધને પ્રકૃતિ બંધ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૦
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy