________________
www
ગુજરાતી અનુવાદ અ. ૨. સ્કંધના બંધત્વનું નિરૂપણ સૂ. ર૭
૧૫૧ અવસ્થાઓ છે. પરમાણુઓમાંથી એક સ્નિગ્ધ અને બીજું રૂક્ષ હોય છે અને તે સ્નિગ્ધતા તથા રૂક્ષતા જ્યારે વિસદશ માત્રામાં થાય છે ત્યારે તેમને પરસ્પર બંધ થઈ જાય છે.
આ રીતે વિભિન્ન માત્રા (અંશ) વાળા પરસ્પરમાં સંયુક્ત સ્નિગ્ધતા અને રૂક્ષ પરમાણુ આદિ પુદ્ગલેના એકત્વ પરિણમન રૂપ બન્ધનથી કયણુક આદિ સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે એક જગ્યાએથી વિજેગ પામે છે અને બીજી જગ્યાને પૂરે છે. બીજામાં મીલન થાય છે, આ રીતે પૂરણ અને ગલનનું કારણ તે પુદ્ગલ કહેવાય છે. પૂરક થઈને તે સ્કંધોને ઉત્પન્ન કરે છે અને ગલન કરીને સ્કંધમાં ભેદ ઉત્પન્ન કરે છે. જેટલાં પણ બન્ધન છે. બધા સંગપૂર્વક જ થાય છે. સ્નિગ્ધતા અને રૂક્ષતાની વિશેષતાના કારણે પરમાણુને બીજા પરમાણુ સાથે સંલેષરૂપ બંધ થાય છે.
બધા પરમાણુઓમાં સ્નિગ્ધતા એક સરખી હોતી નથી. કેઈમાં એક ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતા હોય છે, કેઈમાં અસંખ્યાત ગુણ અને કઈમાં અનન્તા ગુણ પણ સ્નિગ્ધતા હોય છે.
પાણીમાં થેડી સ્નિગ્ધતા છે તેની અપેક્ષા બકરીના દૂધમાં વધારે છે અને પછી ગાય ભેંસ ઊંટડી તથા ઘેટીના દૂધમાં ક્રમશઃ વધુ-વધુ સ્નિગ્ધતા (ચિકાસપણું) જવામાં આવે છે. ઘીમાં તેથી પણ વિશેષ હોય છે. એવી જ રીતે રૂક્ષતા પણ ઓછા વધુ માત્રામાં વિદ્યમાન રહે છે. કોઈ પુદ્ગલહીન રૂક્ષતાવાળે કેઈ મધ્યમ રૂક્ષતાવાળે કેઈ ઉત્કૃષ્ટ રૂક્ષતાવાળા હોય છે.
કઈમાં સંખ્યાત, કેઈમાં અસંખ્યાત અને કઈમાં અનન્ત ગુણ રુક્ષતા હોય છે. આ રીતે સ્નિગ્ધતા (ચિકણપણુ) અને રુક્ષતા (ખાપણું)ના કારણે પરમાણુઓમાં સંશ્લેષ થાય છે અને તેઓ એકમેકની સાથે બંધાઈ જાય છે. બદ્ધ થવા પર સ્કંધની ઉત્પત્તિ થાય છે પુદ્ગલદ્રાનો આ રીતે બન્ધ થવો પ્રત્યક્ષથી સિદ્ધ છે.
સ્થળ જે ઘટ પટ આદિ પુદ્ગલ સ્કંધ છે અને જે પ્રત્યક્ષથી પ્રતીત થાય છે તે જ પરમાણુઓના બન્ધના અનુમાપક છે અર્થાત્ તેમને જેવાથી પરમાણુઓના બન્ધનું અનુમાન કરી શકાય છે કારણ કે પરમાણુઓને સંઘાત થવા વગર મહાન આકાર ઉત્પન્ન થઈ શક્ત નથી. આ રીતે પ્રત્યક્ષથી સિદ્ધ ઘટ આદિ પિન્ડથી પરમાણુઓના સંજોગ બન્ધનું અનુમાન થાય છે આથી એવું સમજવું જોઈએ કે સ્નેહ ગુણવાળા અને રુક્ષ ગુણવાળા-પરમાણુઓને બન્ધ થાય છે.
પરંતુ એ નિયમ નથી કે બધા સ્નિગ્ધતા ગુણવાળા પુદ્ગલેને બધા રુક્ષ પુદગલની સાથે બબ્ધ થઈ જ જાય છે. જે કઈ પુદ્દગલમાં એક ગુણ સ્નિગ્ધતા છે તે એક ગુણ રુક્ષતાવાળા પુદ્ગલની સાથે તેને બન્ધ થતું નથી કારણ કે બંને જ પુદ્ગલ જઘન્ય ગુણવાળા છે આથી તેમનામાં ગુણની વિસદૃશતા અર્થાત્ વિષમ પરિમાણ નથી. સ્વસ્થાનની અપેક્ષાથી સ્નિગ્ધ પુદગલને સ્નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થતું નથી એવી જ રીતે એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલને એક ગુણ રુક્ષ પુદ્ગલ સાથે બન્ધ થતો નથી એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ રુક્ષ પુદગલેને સંગ થવા છતાં પણ તથા તેમાં સ્નિગ્ધતા તથા રુક્ષતા હોવા છતાં પણ પરસ્પર બન્ધ થતું નથી.
આ યુગલનો બન્ધ ન થવાનું કારણ તે તેમાં તે રૂપમાં પરિણત થવાની શક્તિને અભાવ જ પ્રતીત થાય છે. પુદ્ગલમાં પરિણમન કરવાની શકિતઓ ક્ષેત્ર અને કાળ અનુસાર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૫૧