SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ૧૫૦ તત્વાર્થસૂત્રને કહે છે. વિમાત્રને અર્થ છે-અસમાન અશવાળા આ રીતે અસમાન અંશવાળા સ્નિગ્ધ અને રક્ષ બે પરમાણુઓનો પરસ્પર સંશ્લેષ રૂપ એકત્વ પરિણામાત્મક બન્ધ હવા પર કયણુક કંધ ઉત્પન્ન થાય છે. જ રીતે કમથી ચણુક ધ પણ, કયણુક અને પરમાણુને કે જે વિસદશ માત્રામાં સ્નિગ્ધ અને રૂક્ષ હાય, પરસ્પરમાં સંશ્લેષ થવાથી ઉત્પન્ન થાય છે. તે કઈ પુદગલમાં એક ગુણ (અંશ)વાળ કઈમાં બે વાળ કઈમાં ત્રણ, કેઈમાં ચાર, કેઈમાં સંખ્યાત અસંખ્યાત અનન્ત અંશવાળ સમજવો જોઈએ. આવી જ રીતે કેઈ પુદગલમાં રૂક્ષતાને કઈમાં બે ગુણ એવી રીતે કેઈમાં અનન્ત ગુણ હોય છે. જેમ પાણી, બકરીનું દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, ઊંટડીનું દૂધ અને ઘેટીના દૂધમાં તથા ઘીમાં સ્નિગ્ધતા ગુણનું ઓછા વત્તાપણું રહે છે અને પાંશું ધૂળ, રજકણ તથા રેતી વગેરેમાં રૂક્ષતા ગુણ ઓછા વધતા રૂપમાં દેખાય છે એવી જ રીતે પરમાણુઓમાં પણ સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણના પ્રકર્ષ અને અપ્રકર્ષનું અનુમાન કરવામાં આવે છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૧૩માં પદના ૧૮૫માં સૂત્રમાં કહ્યું છે- પ્રશ્ન- ભગવંતું ! બધન પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? ઉત્તર-ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે જેમ કે સ્નિગ્ધબન્ધન પરિણામ અને રૂક્ષબન્ધન પરિણામ. સમાન સ્નિગ્ધતાથી અને સમાન રૂક્ષતાથી બન્ધન થતું નથી, પરંતુ સ્નિગ્ધતા અને રૂક્ષતા જ્યારે વિસદશ પરિમાણમાં થાય છે ત્યારે જ સ્કંધને બંધ થાય છે. સ્નિગ્ધ પગલના બે અંશ અધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે અને રૂક્ષના બે અંશ અધિક રૂક્ષ પદુગલ સાથે સ્નિગ્ધને રૂક્ષ સાથે બધે થાય છે, પરંતુ જઘન્ય ગુણવાળા પુદ્ગલનો કેઈની સાથે પણ બન્ધ થતું નથી. પરંતુ તત્વાર્થનિયુક્તિ-પહેલા કહેવાઈ ગયું છે કે એકત્વ રૂપ સંઘાતથી કશુક આદિ સ્કની ઉત્પત્તિ થાય છે, પણ તે સંઘાત સંગસામાન્યથી થાય છે અથવા વિશેષ પ્રકારના સંગથી થાય છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે કહીએ છીએ-સંગ થયાથી બદ્ધ સંઘાત થાય છે અને સંઘાત થવા પર બદ્ધનું સ્કન્દ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે. એકત્વપરિણામ રૂપ બ બે પરમાણુઓને અથવા ઘણુ પરમાણુઓને કઈ રીતે થાય છે ? શું એક પરમાણુમાં બીજા પરમાણુને પ્રવેશ હોવાથી થાય છે અથવા સંપૂર્ણ રીતે પ્રવેશ ન થવા પર પણ બન્ધ થઈ જાય છે ? પરમાણુઓમાં પલાપણું તે હેતું નથી એથી તેઓ એક બીજામાં પેસી શક્તા નથી પરંતુ પરમાણુઓના પરિણમન વિશેષથી જ સર્વથા સર્વાત્મતા બન્ધ થઈ જાય છે, આથી એવું સાબિત થયું કે લેખંડના ગાળામાં અગ્નિ જેમ સમાઈ જાય છે તેવી રીતે એક પરમાણુ બીજા પરમાણમાં સમાતું નથી તે પણ ગુણની વિશેષતાના કારણે સર્વાત્મતા પૂર્ણ રૂપથી એકત્વપરિણામ રૂપ બન્ધ થઈ જાય છે પરન્તુ ગુણની વિશેષતાના કારણે બન્ધ કઈ રીતે થઈ જાય છે? એ જાતની આશંકા થાય માટે કહીએ છીએ– અસમાન અશોમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હોવાથી બંધ થાય છે. સ્નેહનો અર્થ છે ચિકાસપણું જ્યારે રૂક્ષતાને અર્થ છે લૂખાપણું. આ બંને, પુદ્ગલોના સ્પર્શનામના ગુણની શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૫૦
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy