SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ તત્વાર્થસૂત્રને શંકા–પૃથ્વી પાણી વગેરે જ છે અને પુગલની ગતિ તથા સ્થિતિરૂપ પ્રજનમાં સમર્થ છે તેમના માટે ધર્મ અને અધર્મ દ્રવ્યની કલ્પના કરવી અનાવશ્યક છે. સમાધાન-- અને પુદ્ગલેની ગતિ તથા સ્થિતિના નિયામક થવામાં ધર્મ અને અધર્મ જ અસાધારણ કારણ છે. એક કાર્ય અનેક કારણો દ્વારા સાધ્ય થાય છે. આથી ગતિ તેમજ સ્થિતિ માટે ધર્મ અને અધર્મ દ્રવ્યને સ્વીકાર કર પરમાવશ્યક છે. શંકા–ધર્મ અને અધર્મ દ્રવ્યને સસલાના શિંગડાની જેમ અનુપલબ્ધ હોવાથી સદભાવ જ નથી, સમાધાન–જે એમ હોત તે બધા પ્રતિવાદિનો વિવાદ જ ન રહેત. બધા પ્રતિવાદિ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પદાર્થોને સ્વીકાર કરે છે. આ સિવાય આપને હેતુ અમારા માટે અસિદ્ધ છે. સર્વજ્ઞ કેવળી પિતાને સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાનરૂપી નેત્રથી ધર્મ અધર્મ વગેરે બધાં દ્રવ્યને પ્રાપ્ત કરી શકે છે. જાણી શકે છે તેમના ઉપદેશથી શ્રુતજ્ઞાની પણ તેમને જાણી શકે છે. ભગવતી સૂત્રનાં ૧૩માં શતકના ચેથા ઉદ્દેશકમાં કહે છે– પ્રશ્ન–ભગવંત ! ધર્માસ્તિકાયથી જીવનું શું પ્રવૃત્ત થાય છે ? ઉત્તર–ગૌતમ ! ધર્માસ્તિકાયથી ના આગમન ગમન ભાષણ, મનોયોગ વચનગ, કાયયોગ તથા એવા જ પ્રકારના જે બીજાં ચલભાવ છે તે સઘળાં ધર્માસ્તિકાયથી પ્રવૃત્ત થાય છે કારણ કે ધર્માસ્તિકાય ગતિ લક્ષણવાળાં છે. પ્રશ્ન–ભગવંત! અધર્માસ્તિકાયથી જીવને પ્રવૃત્ત થાય છે ? ઉત્તર–ગૌતમ ! અધર્માસ્તિકાયથી જીના સ્થાન નિષિદન સુઈ જવું મનનું સ્થિરીકરણ તથા આવા જ પ્રકારનાં જે અન્ય સ્થિર ભાવ છે તે સઘળાં અધર્માસ્તિકાયથી પ્રવૃત્ત થાય છે કારણ કે અધર્માસ્તિકાય સ્થિતિ લક્ષણવાળું છે. પ્રશ્ન–ભગવન ! આકાશાસ્તિકાયથી છે અને અ ને શું પ્રવૃત્ત થાય છે ? ઉત્તર–ગૌતમ ! આકાશાસ્તિકાય, જીવદ્રવ્ય અને અછવદ્રવ્યોને આધાર છે. તે એકથી પણ પૂર્ણ થઈ શકે છે, બેથી પણ પૂર્ણ થાય છે, તેમાં સેંકડો પણ સમાઈ જાય છે, હજાર કરોડ પણ સમાઈ જાય છે. આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહ છે ! ૧૫ सरीरवय मणो पाणापाणाणं सुहदुहजीविय मच्चूर्ण च निमित्ता पोग्गला। મૂળસૂવાથ–પુદ્ગલદ્રવ્ય, શરીર, વચન, મન, પ્રાણ, અપાન સુખ દુઃખ જીવન અને મરણના કારણ છે ૧૬ : તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે પુદ્ગલનું લક્ષણ કહીએ છીએ– - પુદ્ગલ દારિક, વૈકિયિક, આહારક, તેજસ અને કામણ આ પાંચ શરીરનાં વચનના, મનના, પ્રાણુના, અપાનના સુખના દુઃખના, જીવનના અને મરણનાં ઉપકારક હવામાં નિમિત્ત થાય છે આથી શરીર વગેરે રૂપ ઉપકાર કરે તે પુદ્ગલાનું લક્ષણ સમજવું જોઈએ ૧૬ તવાનિયતિ–નાશવંત દારિક આદિ પાંચ શરીરનાં વચન, મન, પ્રાણ, અપાન સુખ દુઃખ જીવન અને મરણના ઉપગ્રાહક હોવાથી પરમાણુથી લઈને મહાત્કંધ સુધી શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૧ ૨
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy