SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૬ ૧૧૩ પુદ્ગલ ઉપકારક હોય છે. આ પ્રકારે દારિક આદિ પાંચ શરીર પ્રત્યે, મન, વચન તથા પ્રાણાપાન તરફ તથા સુખ દુઃખ જીવન અને મરણ પ્રતિ પુદ્ગલેને ઉપકાર સમજ જોઈએ. તાત્પર્ય એ છે કે પુદ્ગલ શરીર વગેરેના કારણે થાય છે. દારિક આદિ પાંચે શરીર પુદ્ગલનાં બનેલાં હોય છે આથી પુદ્ગલ ઉપકારક હેવાથી તેમનું કારણ છે. એવી જ રીતે વચન પણ પૌદ્ગલિક છે. તે ભાષાપર્યાપ્તિવાળા પ્રાણીઓનાં જવામાં આવે છે. વીર્યાન્તરાય તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તથા અંગોપાંગ-નામક નામકર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને ગૂજન-ધ્વનિ થવે તેમને સ્વભાવ છે. તાત્પર્ય એ છે કે ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત વીર્યવાન જીવ ભાષાના યેગ્ય પુદ્ગલ સ્કંધને કાયિક વ્યાપારથી ગ્રહણ કરીને અને ભાષાના રૂપમાં પરિણુત કરીને વચનગ દ્વારા સ્વ પરનાં ઉપકાર માટે કાઢે છે. વચન પદુગલિક હોવાથી જે કે અમૂર્ત છે તે પણ પાણીમાં ઘૂળેલા મીઠા અથવા સાકરની જેમ આંખેથી દેખી શકાતાં નથી. એ કેઈ નિયમ નથી કે પ્રત્યેક રૂપી વસ્તુ નેત્રગ્રાહ્ય હોવી જ જોઈ એ. પુદ્ગલદ્રવ્ય પરમાણુ આદિ અનેક પર્યાને ધારણ કરે છે. આથી વચન અમૂર્ત નથી કારણ કે તે પૂર્વીય વાયુવેગથી પ્રેરિત થઈને પશ્ચિમ દિશામાં સ્થિત શ્રોતાને સંભળાય છે આ સિવાય તેને પ્રતિઘાત પણ થાય છે અને અભિભવ પણ થાય છે. દ્રવ્યમન પણ પૌગલિક છે, તે અનન્ત-પુદ્ગલસ્ક ધોથી જે મવર્ગણાના પુદ્ગલ કહેવાય છે. આથી મૂર્તિમાન છે. મન પર્યાપ્ત પંચેન્દ્રિય જીવને જ હોય છે. છસ્થ જીવને શ્રતજ્ઞાનાવરણનો ક્ષપશમ ઉત્પન્ન કરવામાં કારણભૂત તેમની સહાયતાથી ઉત્પન્ન થનાર ગુણદોષની વિચારણાસ્વરૂપ સ»ધારણસંજ્ઞા તથા ધારણુજ્ઞાન જેનાથી થાય છે, તે ભાવમન કહેવાય છે. કહ્યું પણ છે-ચિત્ત ચેતન, યેગ. અધ્યવસાન, ચેતના પરિણામ તથા ભાવમન એ બધાં ઉપગવાચક શબ્દ છે પરંતુ પ્રાકૃતમાં આ ભાવમનના કારણે પૌગલિક, સમસ્ત આત્મપ્રદેશમાં રહેલા દ્રવ્યમનને જ ગ્રહણ કરવું જોઈએ. એવી જ રીતે ઉશ્વાસ રૂ૫ કછવાયુ જે પ્રાણ છે તેને પણ પગલિક સમજવો જોઈએ. કારણ કે પુદ્ગલ જ પ્રાણ રૂપમાં પરિણત થાય છે. બહારના વાયુને અંદર લઈ જવું તે અપાન કહેવાય છે. તે પણ પૌદૂગલિક છે કારણ કે મુદ્દગલ જ અપાન રૂપમાં પરિણત થાય છે. આ પ્રાણુ અને અયાન પણ આત્માના અનુગ્રાહક હોય છે. આ બંને રૂપી દ્રવ્યના પરિણામ છે અને દ્વારેનું અનુસરણ કરે છે અર્થાત્ નાકના નસકેરાથી પ્રવેશે છે-નીકળે છે આથી એમને પણ મૂર્ત સમજવા જોઈએ. આવી રીતે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચતુરિન્દ્રીય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ રસનેન્દ્રિયના સંગથી ભાષા પરિણામના એગ્ય અનન્તપ્રદેશી ઔધને કાય ગથી ગ્રહણ કરે છે અને ભાષાપર્યાપ્તિ કરણ દ્વારા ત્યાગે છે જ્યાં રસનેન્દ્રિય હોય છે તે જ ભાષાપર્યાપ્તિ હેય છે કારણ કે તે રસનેન્દ્રિયને આશ્રિત છે આ કારણથી જ પૃથ્વીકાયથી લઈને વનસ્પતીકાય સુધીના એકેન્દ્રિય જીવ ભાષાવગણના પુદ્ગલેને ગ્રહણ જ કરતી નથી. આ કારણે જીભનો અભાવ હોવાથી તેમનામાં ભાષાને પણ અભાવ છે. બેઈન્દ્રિય વગેરે જીવ રસનેન્દ્રિયથી યુક્ત થઈને ભાષા પુદ્ગલેને પિતાની ભાષાના રૂપમાં પરિણત કરીને આર્ય પ્લેચ્છ આદિ ભાષાઓની જેમ નિયત-નિયત ભાષાઓને જ વ્યવહાર કરે છે. ૧૫ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧ ૩
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy