SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિ દ્રવ્યનું લક્ષણ સૂ. ૧૫ આ રીતે આકાશ જે કે અમૂર્ત છે તે પણ જીવાદિને અવગાહ દેવા રૂપ ઉપકારથી તેનું અનુમાન કરી શકાય છે ! જેમ કે આત્મા અથવા ધર્મના વિષયમાં અનુમાન કરવામાં આવે છે. એવી જ રીતે પુરુષના હાથ લાકડી તથા વાજીત્રના આઘાતથી ઉત્પન્ન થનારો શબ્દ પણ ભેરીનો શબ્દ કહેવાય છે. પૃથ્વી પાણી વગેરે કારણે હોવા છતાં પણ યવ વિશિષ્ટ કારણ હોવાથી જેવી રીતે–ચવાંકુર, વાંકુર કહેવાય છે તેવી જ રીતે અવગાહનમાં જે કે જીવ અને પુદ્ગલ વગેરે ત્રણ કારણો છે તે પણ અસાધારણ કારણ હોવાથી આકાશનું જ તે લક્ષણ કહેવાય છે. આમ હોવા છતાં પણ પરમાણુ અવગાહના છે, અથવા જીવ અવગાહના છે, એ પ્રકારને સમાનાધિકરણ વ્યવહાર દૃષ્ટિગોચર થાય છે આથી અવગાહક જીવ પુદ્ગલ આદિ દ્રવ્ય સંબન્ધી જ અવગાહ થ જોઈએ આકાશ સંબન્ધી નહીં, દા. ત. “દેવદત્ત બેસે છે” આ વાક્યમાં બેસવું દેવદત્તનું જ માનવામાં આવે છે એ કથન બરાબર નથી. જેમ “દેવરામન આ પ્રકારને વિગ્રહ કરવાથી આસન ભૂમિ વગેરે કહેવાય છે તેવી જ રીતે “અવITહરિનન” એ વિગ્રહ કરીએ તે અવગાહ ને વ્યવહાર આકાશમાં જ ઉપયુક્ત થાય છે. શંકા—જે અવગાહનાને આકાશનું લક્ષણ માનીએ તે અલકાકાશમાં આ લક્ષણ ઘટિત ન હોવાથી અવ્યાપ્તિ નામક દેષ આવે છે. અલેકમાં જીવ વગેરેની અવગાહનાની શક્યતા નથી. સમાધાન–અવગાહના લક્ષણ કાકાશનું જ છે આથી તે જે અલકાકાશમાં ન દેખાય તે પણ અવ્યાપ્તિ દેષ નથી. પોલાર રૂપ આકાશતે સર્વત્ર એક જ છે, માત્ર ધર્મ આદિ દ્રવ્યના સર્ભાવ અને અભાવના કારણે જ કાકાશ અને અલકાકાશને ભેદ-વ્યવહાર થાય છે. અહીં સામાન્ય રૂપથી “ આકાશ” પદને પ્રવેગ કરવા છતાં પણ કાકાશનું જ ગ્રહણ સમજવું જોઈએ. કારણ કે કાકાશમાં જ અવગાહ લક્ષણ ઘટિત થાય છે. ધર્મ અને અધર્મ દ્રવ્યના પ્રદેશ કાકાશના પ્રદેશની સાથે જ મળેલા રહે છે અને તેઓ અલેકપર્યન્ત સંપૂર્ણ કાકાશમાં ભરેલાં છે. આથી કાકાશ પોતાની અંદર અવકાશ દઈને ધર્મ–અધમ ઉપકાર કરે છે. પુદ્ગલ અને જીવ સ્વલ્પતર અસંખ્યાતમાં ભાગમાં વ્યાપ્ત હોવાથી તેમજ કિયાવાન હોવાથી સંગ અને વિભાગ દ્વારા તેમને ઉપકાર કરે છે. આ રીતે એક સ્થળે અવગાહના કરેલાં માણસ, માટી, લોખંડને ટુકડો વગેરે બીજી જગ્યાએ પણ મળી આવે છે. સર્વત્ર અંદર અવકાશ દેવાના કારણે એક અવગાહ પણ અવગાધરૂપ ઉપાધિના ભેદથી અનેક જે ભાસે છે આથી જીવ પુદ્ગલ આદિને અંદર પ્રવેશ થવાથી તથા સંયોગ-વિભાગ દ્વારા તે ઉપકાર કરે છે. શંકા–જી અને પુદ્ગલેના ગતિરૂપ ધર્મને ઉપકાર તથા સ્થિતિરૂપ અધમ ઉપકાર આકાશને જ સ્વીકાર કરે જોઈએ કારણ કે આકાશ સર્વવ્યાપી છે. સમાધાન–આકાશને ઉપકાર અવગાહ છે આથી ગતિ અને સ્થિતિને આકાશને ઉપકાર માનવાની કલ્પના કરી શકાતી નથી. ધર્મ આદિ સમસ્ત દ્રવ્યને અવગાહ આપવું તે આકાશનું પ્રયેાજન છે. એક દ્રવ્યના અનેક પ્રયજન માનવામાં આવશે તે લોક અને અલેકને વિભાગ થશે નહીં. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy