SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ તત્વાર્થસૂત્રને શંકા—લેકમાં એવું દેખી શકાય છે કે જેઓ પૂર્વોત્તર કાળભાવી હોય છે તેમનામાં જ આધાર-આધેયભાવ હોય છે. જેવી રીતે કુંડ અને બોર અહીં એવું તે નથી જ કે આકાશ પહેલેથી હતું અને ધર્માદિ પછીથી. આથી વ્યવહારનય અનુસાર પણ આકાશ અને ધર્માદિમાં આધાર, આધેયાભાવની કલ્પના કરવામાં આવતી નથી. સમાધાન–પૂર્વોત્તરકાલીન પદાર્થોમાં જ આધારાધેયભાવ હોય એવો કોઈ નિયમ નથી. ઘડામાં રૂપ છે, શરીરમાં હાથ વગેરે છે, અહીં એક સાથે હોવાવાળા પદાર્થોમાં પણ આધારાધેય ભાવ જોઈ શકાય છે. આથી આકાશ અને ધર્માદિ યુગપભાવી પદાર્થોમાં પણ આધારાધેયભાવ સંગત છે. આ રીતે ધર્મ, અધર્મ આદિ દ્રવ્ય જ્યાં દેખાય તે લેક છે. અહીં અધિકરણમાં ધર્મ પ્રત્યય થયો છે. જ્યાં એ લેક છે તે લોકાકાશ છે અને તેનાથી બહાર ચારે બાજુ અનન્ત અલકાકાશ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સભાવ અને અસદ્દભાવના કારણે જ કાકાશ અને અલકાકાશના વિભાગ છે-હકીકતમાં તે આકાશ ખન્ડરહિત એક દ્રવ્ય છે. ધર્માસ્તિકાય ન હોત તે છે અને પુગલોની ગતિનું નિયામક કારણ ન રહેવાથી આ વિભાગ પણ ન હોત એવી જ રીતે અધર્માસ્તિકાયના અભાવમાં સ્થિતિનું નિમિત્ત કારણ ન હોત તો સ્થિતિને જ અભાવ થઈ જાત. આવી દશામાં લેક-અલેકના વિભાગ પણ ન હોત આથી છે અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિના નિયામક ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સભાવ અને અસદ્ભાવના કારણે જ લેક અને અલેકના વિભાગ થાય છે. શંકા–સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય માત્ર લેકમાં જ છે, આગળ નથી, તે અલકાકાશની સ્થિતિ કેવા પ્રકારની છે ? આજ પ્રકારે કાલના અભાવમાં અલેકાકાશ કેવી રીતે વર્તન કરે છે ? સમાધાન—તેમની સ્થિતિ અને વાર્તાના પિત-પોતાના સ્વભાવથી જ થાય છે. આથી ધર્મ, અધર્મ પુદ્ગલ કાલ અને જીવ દ્રવ્યની અવગાહના કાકાશમાં જ છે. તેનાથી આગળ અલકાકાશમાં તેમની અવગાહના નથી. શ્રી ભગવતી સૂત્ર શતક ૨, ઉદ્દેશક ૧માં માં કહ્યું છે. પ્રશ્ન–ભગવદ્ ! આકાશ કેટલા પ્રકારના કહ્યા છે. ? ઉત્તર–ગૌતમ ! બે પ્રકારના–કાકાશ અને અલકાકાશ. પ્રશ્ન–ભગવદ્ ! લેકાકાશમાં શું જવ જીવદેશ, જીવપ્રદેશ, અજીવ-અછવદેશ અથવા અજીવપ્રદેશ છે ? ઉત્તરગતમ! જીવ પણ છે, જીવદેશ પણ છે, જીવપ્રદેશ પણ છે, અજીવ પણ છે. અછવદેશ અને અજીવપ્રદેશ પણ છે. જે જીવ છે. તે નિયમથી એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય અને અનિન્દ્રિય હોય છે. જે જીવદેશ છે તે નિયમથી એકેન્દ્રિય દેશ છે યાવત અનિન્દ્રિય દેશ છે; જે જીવપ્રદેશ છે તે નિયમથી એકેન્દ્રિયપ્રદેશ છે યાવત અનિન્દ્રિય પ્રદેશ છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy