SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિદ્રવ્યના અવગાહનું નિરૂપણ સૂ. ૧૦ ૧૦૧ જે અજીવ છે તે બે પ્રકારના છે-રૂપી અને અરૂપી. રૂપી ચાર પ્રકારનાં છે જેવાં કે સ્કંધ સ્કંધદેશ સ્કંધપ્રદેશ અને પરમાણુપુદ્ગલ. જે અરૂપી છે તે પાંચ પ્રકારના છે જેવા કે-ધર્માસ્તિકાય નધર્માસ્તિકાયદેશ ધર્માસ્તિકાયપ્રદેશ અધર્માસ્તિકાય નો અધર્માસ્તિકાય દેશ અધર્માસ્તિકાય પ્રદેશ અને અદ્ધાસમય. ત્યારબાદ તે જ ભગવતીસૂત્રના બીજા શતકના દશમાં ઉદ્દેશકમાં કહ્યું છે— ભગવન! અલકાકાશ શું જીવ છે? વગેરે પ્રશ્નો પૂર્વવત કરવા તેનો જવાબ પણ તે જ પ્રકારે છે કે હે ગૌતમ ! અલકાકાશ જીવ નથી તેમજ અજીવપ્રદેશ નથી અજીવ દ્રવ્ય આકાશને એક દેશ છે, તે અગુરુલઘુ છે, અનન્ત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત છે, સર્વાકાશથી અનન્ત ભાગ ન્યૂન છે. ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનની ૭ મી ગાથામાં કહ્યું છે-“સર્વદશી જિનેન્દ્રોએ ધર્મ અધર્મ, આકાશ કાળ પુદ્ગલ અને જીવને લેક કહ્યાં છે. જ્યાં એ દ્રવ્ય નથી ફક્ત આકાશને દેશ છે તેને એક કહેલ છે. ૧૦ છે धम्माधम्माण कसिणे लोगागासे' મૂળસૂત્રાથધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની અવગાહના સંપૂર્ણ કાકાશમાં છે. ! ૧૧ છે તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં બતાવાયું કે લેકાકાશમાં ધર્મ આદિ દ્રવ્યના પ્રદેશરૂપ અવગાહ છે પરંતુ તે અવગાહ દૂધ અને પાણીની જેમ અને ઝેર અને લેહીની માફક સમસ્ત લેકાકાશના બધાં પ્રદેશને વ્યાપ્ત કરીને હોય છે અથવા તળાવમાં ત્રસજીવ અગર પુરુષ વગેરેની જેમ એક દેશથી હોય છે. આ આશંકાનું સમાધાન કરવા માટે અહીં કહેવામાં આવ્યું છે કે ધર્મ અને અધર્મદ્રવ્યને લોકાકાશમાં અવગાહ સંપૂર્ણ પણાથી તલમાં તેલની જેમ છે. એક દેશથી નહીં. ૧૧ છે તવાથનિકિત-ધર્માદિ દ્રવ્યોને લેકાકાશમાં અવગાહ છે, એ અગાઉ કહેવાઈ ગયું છે, પરંતુ તે અવગાહ કેવા પ્રકારનો છે એ દર્શાવવા માટે કહ્યું છે—ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને સંપૂર્ણ કાકાશમાં અવગાહ છે લેકાકાશના કેઈ એક દેશમાં નહીં. સૂત્રમાં “કૃત્ન પદને પ્રવેશ કરીને ધર્મ-અધર્મદ્રવ્યનું સંપૂર્ણ દેશમાં વ્યાપ્ત હેવાનું સૂચિત કરવામાં આવ્યું છે. આથી એ સ્પષ્ટ થઈ ગયું કે જેમ ઘરના કેઈ એક ખુણામાં ઘર રહે છે તેવી રીતે કાકાશમાં ધર્મ અને અધર્મને અવગાહ નથી બલકે તલમાં તેલની જેમ અને દૂધમાં ઘીની માફક સંપૂર્ણ કાકાશમાં અવગાહ છે આ રીતે અવગાહન શક્તિના કારણે સમસ્ત કાકાશમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય પ્રદેશનું પરસ્પર વ્યાઘાત રહિત અવસ્થાન સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે કાકાશને જે એક પ્રદેશ છે તે જ ધર્મદ્રવ્યને પણ એક પ્રદેશ છે અને તે જ અધર્મદ્રવ્યને પણ પ્રદેશ છે. આ બધાં પ્રદેશ વ્યાઘાત વગર જ સ્થિત છેકેઈન અવસ્થાનમાં અવરોધ કરતા નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy