SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ માનવામાં આવે છે. એના અભાવમાં નહીં કેવળ જ્ઞાનના સ્વરૂપની અપેક્ષાથી જ જ્ઞાન સમ્યજ્ઞાન માનવામાં આવેલ નથી. આ કારણે જ્ઞાનાદિ કેમાં આવરણ ભેદ, વિષયભેદ તથા કારણભેદ થાય છે. સમ્યકત્વ જ જ્ઞાનમાં સમ્યકજ્ઞાન રૂપતા લાવવામાં હેતુ છે આ વાત શ્રત કેવલીઓએ કહી છે. જે કેઈ અહીં એવી આશંકા કરેકે, તત્વાર્થનું શ્રદ્ધાન કરવું એ સમ્યગ્ગદર્શન છે. તે આ સમ્યગદર્શન અવાય-મતિજ્ઞાનમાં એક ભેદરૂપ પડે છે. આથી જ્ઞાનમાં અને સમ્યગદર્શનમાં કઈ ભેદ માની શકાતો નથી. કેમકે, અવાયમાં જેમ પદાર્થોને નિશ્ચય થાય છે એ જ રીતે આમાં પણ પદાર્થના નિશ્ચયરૂપ શ્રદ્ધાન છે તે એવી આશંકા અહીં બરાબર નથી, કારણકે, એવું કહેવું કારણરૂપ સમ્યગદર્શનમાં કાર્યરૂપ અવાયના ઉપચારને કરવાથી માની શકાય છે. એવી રીતે તે સમ્યગ્ગદર્શન અને અવાય નામના મતિજ્ઞાનના ત્રીજા ભેદમાં કારણ કાર્ય હોવાથી ભેજ છે.૧પ નિસર્ગરૂચિ કા વર્ણન ઈન સમ્યકત્વનું સ્વરૂપ કહીને હવે તેના ભેદને કહે છે–નિયT' ઇત્યાદિ . અન્વયાર્થ–નિસાસ- નિનિઃ સ્વભાવથી જ જીવાદિક પદાર્થોમાં જે શ્રદ્ધારૂપ રુચિ હોય છે તેનું નામ નિસગ રૂચિ છે. વાવ-કપરાજિઃ ગુરુ આદિના ઉપદેશથી જે જીવાદિક પદાર્થોમાં શ્રદ્ધારૂપ રુચિ થાય છે. તેનું નામ ઉપદેશ રૂચિ છે. ગાજર-ગાજ્ઞાત્તિ સર્વજ્ઞના વચનથી જે તત્વાર્થમાં શ્રદ્ધાળુ રૂચિ થાય છે એનું નામ આજ્ઞા રૂચિ છે ગુર૦-સૂત્રના આગમ દ્વારા જે તમાં શ્રદ્ધારૂપ રૂચિ જીવને થાય છે તેનું નામ સૂત્રરૂચિ છે. વીયર્ફમેવ-વનવિ અનેકાર્થ બોધક એક પણ વચનથી જે જીવને તત્વથ રૂચિ થાય છે તેનું નામ બીજ રૂચિ છે. માન-મામાનઃ જ્ઞાનથી જે તમાં શ્રદ્ધારૂપ રૂચિ થાય છે તેનું નામ અભિગમ રૂચિ છે ત્યાર-વિરતારાિ વિસ્તારથી જે રૂચિ થાય છે. તેનું નામ વિસ્તાર રૂચિ છે. દરિયા-ક્રિચારિક પ્રતિલેખનાદિક ક્રિયામાં રૂચિ થવી તેનું નામ કિયા રૂચિ છે. વહ-સંપત્તિ સંક્ષેપમાં રૂચિ થવી તેનું નામ સંક્ષેપરૂચિ છે. ધર્મસ-ધર્મત્તિ શ્રત ધર્મ આદિમાં રૂચિ થવી તેનું નામ ધર્મરૂચિ છે. અહીં સમ્યક્ત્વનું જીવથી જે અનન્યત્વ રૂપમાં કથન કરવામાં આવેલ છે તે ગુણ ગુણમાં કથંચિત અભિન્નત્વ ખ્યાપન કરવાને માટે કરાયેલ છે. આ નિસર્ગ રૂચિ આદિ દશ ભેદ સમ્યક્ત્વના છે. ૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૫
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy