SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ માજિ-જાતરક શિવમિત્રાચઃ મરચા નામિકમોદ માંસને ખાવામાં લેપ બનેલ માછલું એના રાગમાં આતુર બનીને ગલના કાંટામાં ફસાઈને અકાળે મૃત્યુ પામે છે. ભાવાર્થ-ન્માછલાને પકડનાર મચ્છીમાર એક લોઢાના વાંકી અણીવાળા કાંટામાં માંસને કટકે લટકાવીને દેરાથી બાંધી તેને પાણીમાં લટકાવી દે છે. માછલું એ માંસના ટુકડાને ખાવા જાય છે ત્યાં એ અણીદાર કાંટો તેના ગળામાં ઘુસી જાય છે આ પ્રમાણે એ માછલી તે કાંટામાં સપડાઈને મચ્છીમારના હાથમાં પકડાઈ જઈ અકાલમાં મૃત્યુ પામે છે. આ જ પ્રમાણે જે જીવ જી હા ઈન્દ્રિયને લોલુપી હોય છે તે પણ અકાળે પિતાના પ્રાણને ગુમાવી દે છે. ૬૩ નેવિ” ઇત્યાદિ! જે જન્તુ અમનેસ રસમાં તીવ્ર ઠેષ ધારણ કરે છે, તે એ ક્ષણમાં પણ પિતાના જ દુર્ઘતષના કારણે દુઃખી થાય છે. રસને આમાં કાંઈ પણ દેષ નથી. ૬૪ આ પ્રમાણે છેષને સઘળાં અનર્થોને હેતુ બતાવીને હવે રાગને સઘળા અનર્થોને હેતુ બતાવે છે.–“uતઈત્યાદિ! જે પ્રાણું મનહર રસમાં એકાન્તરૂપથી અનુરક્ત બને છે એ બાળ છે. કેમકે, તે એ સ્થિતિમાં અમનેઝ રસમાં ઠેષ કરવા લાગી જાય છે. આ કારણે તે એને ભેગવે છે. જે આ બન્ને અવસ્થામાં રાગ દ્વેષ કરતા નથી એ મુનિ એ દુખથી રહિત થઈ જાય છે. આપા રાગ જ હિંસાદિ આમ્રવને હેતુ છે. આ કારણે હિંસાદિને લઈને રાગ જ દુખનું મૂળ કારણ છે આ વાતને સૂત્રકાર છ ગાથાઓથી કહે છે “U” ઈત્યાદિ! રસના અનુરાગથી પીડિત બનેલે જીવ સર્વ પ્રથમ સંપાદનીય કાર્યોમાં પોતે પિતાની જાતને સંતુષ્ટ કરવામાં જ પ્રધાન કર્તવ્ય માને છે. આ જ કારણે તે અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. આમાં તે કોઈ કોઈ જીવેને હરણ, માછલાં, આદિકને ખાવા માટે વિવિધ પ્રકારના ઉપયોથી મારે છે અને કઈ કઈ ફળ મૂળ કંદ, આદિકેને એ પીડા પહોંચાડીને પરિતાપિત કરે છે. દાદા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy