SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ તે ધમૅરમાણે-ઘનમેષ ન ધનની ચાહના કર્યા કરે છે. તથાબqમત્ત-ન્ય કમઃ પિતાનાથી ભિન્ન જનમાં એના ભરણપોષણની ચિંતામાં પડીને સંસારથી પાર થવામાં આત્મકાર્યમાં પ્રમાદી બની જાય છે. આ રીતે પ્રમાદી બનેલ એ મનુષ્ય કાં મનું જ ધ્વતિ-કરાં મૃત્યું જ કાનોતિ વૃદ્ધાવસ્થાને તેમજ આખરે મૃત્યુને પામે છે. ભાવાર્થકામભોગ અનર્થની ખાણ છે, આ વાતને આ ગાથા દ્વારા પુષ્ટ કરવામાં આવેલ છે. તેમાં સૂત્રકાર એ બતાવે છે કે, જેની વિષયભોગથી વિષયની ઈચ્છા શાંત થતી નથી તેથી તે વ્યક્તિ આત્મકલ્યાણના માર્ગમાં કદી પણ આગળ આવી શકતી નથી. એને તો રાત દિવસ એ ચિંતારૂ૫ રાક્ષસ સતાવ્યા કરે છે કે, મારી વિષયભેગની તૃષ્ણા કઈ રીતે શાંત થાય! ક્યાં જાઉં? શું કરું? કઈ રીતે ધન કમાઉં? વગેરે વાતેથી તેને અવકાશ જ મળતો નથી તે પછી આત્માની વાત કરવાનો અવસર તેને કયાંથી મળે? રાતદિવસ એજ ચિંતામાં મગ્ન બની રહે તે એવો તે મનુષ્ય બિચારે પિતાનાથી સર્વથા ભિન્ન રહેનાર વ્યક્તિઓની સેવા શુશ્રષામાં ફસાઈ રહે છે આ પ્રમાણે પ્રમાદી બનેલા એ મનુષ્યને ધીરે ધીરે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ ઘેરી લે છે ત્યારે તે પશ્ચાત્તાપ કરવા લાગે છે પરંતુ હવે શું થઈ શકે ? મરીને તેણે દુગતિમાં જ ભટકવું પડે છે. જે ૧૪ છે વિષયી લેકે બીજું શું વિચારતા હોય છે આ ગાથા દ્વારા કહેવામાં આવે છે–“ મે”—ઈત્યાદિ ! અન્વયાર્થ–મં- આ ધન ધાન્યાદિક -મે મારૂં છે અને રૂજ્જ આ રજત સુવર્ણાદિક મે-જેમ મારાં નથિ-નાતિ નથી, તથા મંગે વિ # ગીર-ફ ૨ ૬ અઠ્ઠા એ નવીન ઘર કે જ્યાં છએ ઋતુ એમાં આરામ મળી શકે તેવું બનાવવું છે, તથા મારા ઘરમાં આ જે અલાભદાયક વેપાર ચાલી રહેલ છે એને બંધ કરી દે છે, તે કરવા ગ્ય નથી. U-Uવમ્ આવા પ્રકારના અને રાજ્યાદિક વિકલપમાં પડીને અ૪cqમાનં– ઢાઢનામૂ વ્યર્થમાં નકામે બકવાદ કરવાવાળા તે મનુષ્યને -દરા: દિવસ અને રાત ટુતિ-પત્તિ આ ભવમાંથી ઉપાડીને બીજા ભવમાં પહોંચાડી દે છે. આથી હું મો-થે પ્રમાઃ ધર્મમાં પ્રમાદ કર એ કઇ રીતે ઉચિત માની શકાય ? જરા પણ નહીં. ભાવાર્થ—જેમ જેમ દિવસ અને રાત વ્યતિત થતી રહે છે તેમ તેમ આ જીવનું આયુષ્ય ઓછું થતું જાય છે, આથી અનેક પ્રકારના સંકલ્પ અને વિકપમાં પડેલા પ્રાણી આ વાતને જરા પણ વિચારતા નથી કે, મારા માટે આ ભવમાંથી બીજા ભવમાં જવાનો સમય નજીક આવી રહ્યો છે. એ તે ઉલટે રાત દિવસ એ ચિતામાં ફસાયેલું હોય છે કે, મારે આ કરાવવું છે, આ નથી કરાવવું. આ મારૂં છે, આ મારૂં નથી. આવા વિચારમાં પડેલે આ જીવ મરી જાય છે. આથી કોઈ પણ જીવે ધર્મ સેવનમાં પ્રમાદ કરે ઉચિત નથી. ૧૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૩ ૨૩
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy