________________
કરી લીધું પણ દી એકાએક બુઝાઈ જતાં એ વસ્તુઓ અંધારૂ થવાને કારણે તેના માટે તે અદ્રષ્ય જેવી જ બની જાય છે. એ જ રીતે આ જીવ પણ કદાચ કર્મના ક્ષોવરામ વિગેરેની સહાયથી મોક્ષમાગને પ્રાપ્ત કરીને પણ ધનની આકાંક્ષાના વ્યાસંગથી થતા દર્શન મેહનીય કર્મના ઉદયથી એ મોક્ષમાર્ગ તેને માટે અદ્રશ્ય જે જ બની જાય છે. કેમ કે વિજ્ઞ-ધન મેહ વિગેરેને હેતુ માનવામાં આવેલ છે. કહ્યું પણ છે–
આ પરિગ્રહ મોહનું એક આશ્રયસ્થાન છે મદ અને કામને વધારનાર છે એને કારણે ચિત્તમાં અનેક વિધ સંતાપ ઉત્પન્ન થતું રહે છે. આરંભ અને કલહનું એ મુખ્ય કારણ છે. સંસારમાં જેટલા પણ અધિક દુઃખ છે એ સઘળાં દુઃખનું એ મૂળ કારણ છે.” આટલા માટે કેવળ આ ધનરૂપી પરિગ્રહ જીવને કદી પણ સંરક્ષક-રક્ષા કરનાર બની શકતું નથી. એટલું જ નહીં પણ જીવના સંરક્ષક એવા સમ્યગ દર્શન વિગેરે જે ખૂબ જ મુશ્કેલીથી તેને પ્રાપ્ત થયા હેય છે તેને પણ વિનાશ કરનાર બને છે, એના ઉપર પુરોહિત પુત્રનું દષ્ટાંત આ પ્રકારનું છે.–
દ્રવ્ય રક્ષણ નહીં કર સકતા હૈ ઇસ વિષયમેં પુરોહિત પુત્ર કા દ્રષ્ટાંત
લક્ષમીપુર નામનું એક નગર હતું. ત્યાં શ્રીદત્ત નામે એક રાજા રાજ્ય કરતા હતા. તેણે અંતઃપુરની રાણીઓ રસાલા સાથે ઈન્દ્રમહોત્સવમાં ભાગ લેવા નીકળતી વખતે એવી ઘોષણા કરાવી કે-આ નગરમાં રહેતા સમસ્ત પુરુષવર્ગે નગરની બહાર નીકળી મહોત્સવમાં ભાગ લે. જે કઈ એ પ્રમાણે નહિ વરતે તેને આકરી શિક્ષા કરવામાં આવશે. રાજાની આ ઘોષણા સાંભળી નગરનીવાસી સઘળા પુરુષજને મહત્સવમાં ભાગ લેવા તુરત જ બહાર નીકળી આવ્યા. પરંતુ પુરોહિતને પુત્ર જે રાજપ્રિય હતો તે નગર બહાર ન ગયો. પણ રાજાની આ ઘોષણા સાંભળીને તે એક વેશ્યાના ઘરમાં ઘુસી ગયો. રાજપુરુષોએ તેને જો, અને તેને રાજહુકમ પ્રમાણે પકડી લીધે. પરંતુ પુરોહિતપુત્ર “ હું તે રાજાને મિત્ર છું” એ અભિમાનથી કુલાઈને એ સિપાઈઓ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨