SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ લાગતું હતું કે જાણે તેમાંથી લેહી ઝરતું હોય. ત્યાર પછી રાણુને ઉપર-મહેલમાં બોલાવી તથા તે આ દેખાવ જોઈ શકે એવા સુવિધાજનક સ્થાને બેસાડી. પછી રાજાને જેમ રાણી બરાબર જોઈ શકે તેવા અને થોડા અંધકારવાળા સ્થાને સુવાડયા. પછી રાજાના પેટ ઉપર બાંધેલાં તે માંસ કાતરથી કાપી–કાપીને વાસણમાં રાખી દીધું. થોડા વખત સુધી રાજા બેટી મૂછમાં પડયા રહ્યા અને પછી આપસમાં વાત કરવા લાગ્યા આવી રીતે અભયકુમારે રાણુને દોહદ (ઈચ્છા) પુરો કર્યો. રાણી પોતાને દેહદ પુરે થવાથી ગર્ભ ધારણ કરતી સુખ પૂર્વક રહેવા લાગી. (૩૧) ચેહૂના રાની કે વિચાર “તાળ તીરે' ઇત્યાદિ. એક સમય રાણી રાતમાં વિચાર કરવા લાગી કે આ બાળકે ગર્ભમાં આવતાં જ પિતાના બાપનાં કલેજાનું માંસ ખાધું આથી મારે માટે ગ્ય છે કે આ ગર્ભને સડાવવા માટે–પાડી નાખવા માટે–ગાળવા માટે અને નાશ કરવા માટે કાંઈ ઉપાય કરે એવા વિચાર કરી રાણીએ ઓષધી આદિથી એવાજ ઉપાય કર્યા. પરંતુ તે ગર્ભ ન સડે, ન પડે, ને ગળે કે ન કોઈ પ્રકારે તેને નાશ થઈ શકે. (૩૨) શ્રી નિરયાવલિકા સૂત્ર ४८
SR No.006457
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nirayavalika
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy