SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આ ધ્યાન છેડી દે. હું એવેાજ પ્રયત્ન કરીશ કે જેથી તારા દાદ પુરા થાય. એમ કહી રાજાએ મનને આનંદ કરાવનારી, વાંછિત અર્થ ( ઈચ્છા પ્રમાણે ) દેવાવાળી, પ્રેમમયી, મનેાજ્ઞ, વારવાર મનને સારી લાગનારી, અદ્ભુત, મના વાંચ્છિત ફળને દેવાવાળી, સુખદાયી, ગર્ભ વાંછાને પૂર્ણ કરવાવાળી, કાનને પ્રિય લાગવાવાલી, મત્ત અનેલ કાયલના સ્વર જેવી મનેાહર વાણી દ્વારા રાણીને સંતુષ્ટ કરી. રાણીને આ પ્રકારે આવાસન દઈને રાજા સભામંડપમાં આવ્યા. તથા પૂર્વદિશા તરફ માં રાખી પેાતાના સિંહાસન પર બેઠા. તથા તે દોહદ (ઈચ્છા) પુરા કરવાની ચિંતા કરવા લાગ્યા. પરંતુ— (૧) શાસ્ત્રોના અભ્યાસ વિનાજ ન જોયેલા ન સાંભઘેલા તથા અનુભવમાં પણ ન આવેલા વિષયાને યથાર્થરૂપે જાણવા વાળી આત્પત્તિકી’ બુદ્ધિ, (૨) વિનયથી ઉત્પન્ન થનારી ‘વૈનયિકી’ બુદ્ધિ, (૩) હમેશાં કાર્ય કરવાથી ઉત્પન્ન થનારી ‘કાર્મિકી' બુદ્ધિ, (૪) ઉમરના પરિણામે ઉત્પન્ન થનારી પારિણામિકી' બુદ્ધિ. આ ચારે પ્રકારની બુદ્ધિ દ્વારા તથા અનેક સાધન-સામગ્રી એટલે અનેક પ્રયાગ દ્વારા પણ રાજા તે દોહદને પુરા કરવામાં સમ ન થયા તેથી આત ધ્યાન કરવા લાગ્યા. (૨૯) ચેલનારાની કે દોહદ રૂમ = ન ઈત્યાદિ. આ ખાજુ અભયકુમાર સ્નાન કરી તમામ પ્રકારનાં આભૂષણેાથી સજ્જ થઈ મહેલમાંથી નીકળી તેજ સભામડપમાં આવ્યા કે જયાં શ્રેણિક રાજા બેઠા હતા. શ્રેણિક રાજાને આ ધ્યાન કરતા જોઇ કહ્યું–હે તાત ! હું જ્યારે ખીજા દિવસે આવતા ત્યારે આપ મને જોઇ ખુશી થતા હતા પણ આજ શું કારણ છે કે મારી સામુંય જોતા નથી તથા આર્તધ્યાનમાં બેઠા છે. જો હું આ વાતને શ્રી નિરયાવલિકા સૂત્ર ૪૬
SR No.006457
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nirayavalika
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy