SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તનને શોધવા લાગશે, કઈ દૂધ માગશે, કઈ બચ્યું ખાવાનું માગશે, કોઈ ભાતને માટે હઠ કરશે, કઈ પાછું માટે હઠ કરશે, કઈ હસતું રહેશે, કઈ ગુસ્સે થતું રહેશે, કઈ રીસાઈ જાશે, કેઈ બચ્ચાં તો પિોતપોતાની ચીજ માટે લડતાંજ રહેશે, અને કોઈ કોઈને મારતાં રહેશે, કોઈ તો કોઈને માર ખાતાં રહેશે, તે કઈ બચ્ચાં જેમ તેમ બકશે અર્થાત્ વ્યર્થ બકવાદ-શોરબકોર કરી મૂકશે, કોઈ કેઈની પાછળ પાછળ દોડયા કરશે, કઈ રેતાં રહેશે, કઈ પ્રલાપ કરતાં રહેશે, કેઈ આર્તસ્વરથી રૂદન કરશે, કેઈ બચ્ચાં કૂજતા (ટીકા કરતાં) અવ્યક્ત ન સમજાય તેવા શબ્દ બોલ્યા કરશે. કેઈ જેરથી અવ્યક્ત શબ્દ કર્યા કરશે, કઈ સુતાં રહેશે, કઈ કપડાંના છેડા પકડીને લટકયા કરશે, કેઈ અગ્નિમાં બળી જાશે, કેઈ દાંત વડે કરડવા લાગશે, કોઈ ઉલટી કરશે, કઈ ઝાડે ફરતાં રહેશે, કેઈ મુતર્યા કરશે. આ માટે તે બચ્ચાંના પિશાબ-પાયખાના-ઉલ્ટીથી ભરેલી મેલા કપડાંથી કાન્તિહીન એટલે અશુચિ, બીભત્સ અત્યન્ત દુર્ગન્ધિત થઈ રાષ્ટ્રકૂટની સાથે પોતાના વિપુલ ભોગ ભોગવવામાં સમર્થ નહિ થઈ શકશે. (૬). “ags રો” ઈત્યાદિ. ત્યાર પછી એક સમય પાછલી રાતે કુટુંબ જાગરણ કરતાં તે સમા બ્રાહ્મણના મનમાં એ વિચાર ઉત્પન્ન થશે કે-અહો ! હું મળમૂત્ર કરવાવાળાં આ ઘણાં કમનશીબ દુખદાયી થેડા થોડા દિવસમાં જન્મ લેવાવાળાં દુર્જન્મા નાનાં મોટાં અને નવા જન્મેલા બાળકનાં મળમૂત્ર તથા વમનથી લીંપાયેલ, ખરડાયેલ અત્યંત દુર્ગન્ધિમયી બની હોવાથી રાષ્ટ્રકૂટની સાથે સુખને અનુભવ લઈ શકતી નથી. તે માતાઓને ધન્ય છે અને તેમના જીવન સફળ છે કે જે વાંઝણું છેજેને કરૂં થતું નથી, જે જાનુકૃપરમાતા છે, જે સુગંધી દ્રવ્યથી સુવાસિત થઈને મનુષ્ય સંબંધી ભેગે ભગવતી વિચરે છે. હું અધન્ય છું, અપુણ્યો છું જેથી હું રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભેગોને ભેગવી શક્તી નથી. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૭
SR No.006457
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nirayavalika
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy