SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તે કાળે તે સમયે સુવ્રતા નામની આર્યાએ ઇસમિતિ આદિ યુક્ત ઘણી સાધ્વીઓની સાથે તીર્થંકર પરંપરાથી વિચરતી બિભેલ સન્નિવેશમાં આવશે અને યથોચિત અવગ્રહ લઈને ત્યાં રહેવા લાગશે. પછી એક દિવસ તે સુત્રતા આર્યાએનું એક સંઘાડું બિભેલ સન્નિવેશના ઊંચા નીચા અને મધ્યમ કુલમાં ફરતાં ફરતાં રાષ્ટ્રકૂટના ઘરમાં આવશે. ત્યાર પછી તે સેમા બ્રાહ્મણી તે આર્યાઓને આવતી જશે અને તેમને જોઈને હુતુષ્ટ અંત:કરણથી જલદી જલદી પિતાને આસનેથી ઉઠીને ઉભી થશે અને તે આર્થીઓને આદર સત્કાર કરવા માટે સાત આઠ પગલાં સામે જાશે ત્યાર પછી વન્દન અને નમસ્કાર કરીને સારી રીતે અશનપાન આદિથી પ્રતિલાભિત કરશે (વહારાવશે) અને તેમને આ પ્રકારે હે દેવાનુપ્રિયે ! રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભેગોને ભેગવતી મેં પ્રત્યેક વર્ષે એક જોડકાં બાળકને જન્મ આપતાં સેળ વર્ષમાં બત્રીસ બચ્ચાને જન્મ આપે છે. હું દુર્જન્મા તે બચ્ચાંના મળમૂત્ર અને ઉલટી આદિથી લીપાયેલી દુર્ગધવાળાં શરીરે મારા પતિની સાથે કોઈ જાતને આનંદ ભાગ કરી શક્તી નથી. હે આર્યાઓ! આપ લેકેની પાસે ધર્મ સાંભળવા માગું છું ત્યાર પછી તે સાધ્વીઓ સેમા બ્રાહ્મણીને વિચિત્ર એટલે કેવલી પ્રરૂપિત ધર્મને ઉપદેશ આપશે. ત્યાર પછી તે મા બ્રાહ્મણી તે આર્થીઓ પાસેથી ધર્મ સાંભળીને તે હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ તુષ્ટ થઈને અત્યંત હર્ષયુક્ત હૃદયથી તે આર્થીઓને વંદન અને નમસ્કાર કરીને આ પ્રકારે કહેશે – હ આઓ ! હું નિન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું અને નિસ્થ પ્રવચનને સમ્માનિત કરું . હે દેવાનુપ્રિયે ! જે આપ કહો છે તે જ સત્ય છે. હું રાષ્ટ્રકૂટને પૂછું છું. પછી આપની પાસે મુંડિત થઈને પ્રત્રજિત થઈશ. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૮
SR No.006457
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nirayavalika
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy