SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ બધ અસંખ્યાત કાળ સુધી અવસ્થિત રહી શકે નહિ, માટે તે સુષમ સુષમા કાળમાં ભરત ક્ષેત્રમાં એમને જે આપશ્રી એ સદ્દભાવ કર્યો છે, તે કયા આધારે કહ્યો છે? તે આને જ વાબ આ પ્રમાણે છે કે દેવ કીડા પરાયણ હોય છે એથી તેઓ ક્ષેત્રાન્તરથી એ વસ્તુઓનું સંહરણ કરીને સુષમ-સુષમા કાલમાં પણ ભરત ક્ષેત્ર માં લાવી તે મૂકી શકે છે, એથી એ સર્વની અહીં સંભાવના થઈ શકે છે. આ સંબંધ માં સંશયના માટે કઈ સ્થાન નથી ર૭. સુષમસુષમા દિકાલમેં રાજાદિકે વિષયમેં પ્રશ્નોતર 'अस्थिणं भंते ! तीसे समाए भरहे वासे रायाइ वा जुवरायाइ वा ईसरतलबर मार्ड विय इन्म सेटि सेणावइसत्थवाहाइवा ? इत्यादि स्त्र २८॥ ટીકાથ-ગૌતમ સ્વામીએ અહીં આ જાતનો પ્રશન કર્યો છે કે હે ભદન્ત! સુષમ સુષમા આ૨કના સમયમાં ભરતક્ષેત્રમાં રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર માડંબિક કૌટુંબિક શ્રેષ્ઠી. સેનાપતિ તેમજ સાર્થવાહ એ સર્વ હોય છે ! માંડલિક નરેશ નું નામ નરપતિ : ૨૫તિ છે આગળ જે રાજપુત્રનું નૃપના રૂપમાં અભિષેક થનાર છે, તેનું નામ યુવરાજ છે. ઐશ્વય શાલી વ્ય. ક્તિનું નામ ઈશ્વર છે. સંતુષ્ટ થયેલ ભૂપાલ વડે પ્રદત્ત પટ્ટબંધથી જે પરિભૂષિત હોય છે તેવા રાજકલ્પ વ્યક્તિ નું નામ તલવર છે. પાંચસો ગ્રામનો જે અધિપતિ હોય છે. તેનું નામ માડુંબિક છે. “ ભાવ” આ છાયા પક્ષમાં જે છિન્ન ભિન્ન જનાશ્રય વિશેષમાં અધિકત હોય છે. તેનું નામ માંડવિક છે જે કુટુંબના ભરણ પોષણ કરવામાં તત્પર હોય છે. અથવા તેમના કુટુંબનો પ્રતિપાલક હોય છે, તેનું નામ કૌટુંબિક કહેવાય છે. જેની પાસે હાથીના વજન જેટલું દ્રવ્ય હોય છે તે ઈભ્ય છે. એ ઇભ્ય ઉત્તમ, મધ્યમ અને જઘન્ય આમ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. એમાં જે હરિત પ્રમાણે–પરિમિત મણિ, મુકતા, પ્રવાલ, સુવર્ણ તેમજ રજત વગેરે દ્રવ્યોને સવામી હોય છે, તે ને જઘન્ય ઈભ્ય કહેવામાં આવે છે. હસ્તિપરિમિત વજી ને જ જે સ્વામી હોય છે તે ઉત્કૃષ્ટ ઇભ્ય છે, જે લક્ષમીના કપા કટાક્ષથી જે યુક્ત છે તેમજ જેનું મસ્તક લક્ષમીની કૃપાથી દ્યોતક હિરણ્યપદથી અલંકૃત રહે છે, એવા નગરનો જે પ્રધાનવ્યવહર્તા પુરૂષ હોય છે, તેનું નામ શ્રેષ્ઠ છે. ચતુરંગ સેનાને જે નાયક હોય છે, તેનું નામ સેનાપતિ છે, ગણિમ, ધરિમ, મેય અને પરિ છે ધરૂપ કય-વિકય યોગ્ય વસ્તુઓને લઈને લાભની ઈચ્છાથી દેશાન્તરમાં જતા પુરૂષો સાથે સંઘને જે યોગક્ષેમ વડે રક્ષણ આપે છે તેનું નામ સાથે વાહ છે, અથવા મૂલધન આપી ને જે તેઓને પોતાની દ્ધિ જેટલી બદ્ધિવાળા બનાવે છે, તે સાર્થવાહ છે. જે વસ્તુ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૭૯
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy