SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનનું નામ બેટ છે. લઘુ પ્રાકારથી જે પરિવેષ્ટિત રહે છે. તે સ્થાનનું નામ કબેટ છે અથવા જેમની ચેમેર પર્વત હોય છે, એવાં સ્થાનેનું નામ કર્બટ છે. જેમની આસ પાસ રા, રા ગાઉ સુધી ગ્રામે હોતા નથી, તેને મડંબ કહેવામાં આવે છે. જે સ્થાનમાં જલમાર્ગ અને સ્થળમાગ આમ બને રીતે પહોંચી શકાય એવા જનનિવાસ સ્થાનનું નામ દ્રોણમુખ છે. જેસ્થાનમાં જીવનપગી સર્વ વસ્તુઓ મળી આવે છે. તે સ્થાનનું નામ પત્તન છે. એ પત્તને જલ પત્તન અને સ્થલ પત્તન આમ બે પ્રકારના હોય છે. જ્યાં હોડીઓ વડે જઈ શકાય તે જલ પત્તન અને જયાં ફકત ગાડી વગેરે વડે જઈ શકાય તે સ્થલપત્તન છે. અથવા જયાં ફકત શક વગેરે કે હોડીઓ વડે જઈ શકાય છે, એવા સ્થાનનું નામ પત્તન છે, અને જ્યાં ફકત નૌકા વડે જ જઈ શકાય તે સ્થાનનું નામ પડ્ડન છે. તદકતમ पत्तनं शकटैगम्य घोटकै नैभिरेव च नोभिरेव तु यद्ग म्य पट्टनं तत्प्रचक्षते ॥९॥ જયાં ઘણા વણિક લોકો રહે છે તે રથોનનું નામ નિગમ છે, પહેલાં જે સ્થાનમાં તપ સ્વિ જન–તપસ્વી એ રહે છે. અને પછી જ્યાં લેકે આવી ને રહેવા લાગે છે. તે સ્થા નનું નામ આશ્રમ છે. ખેડુતો વડે નિર્મિત ધાન્યની રક્ષા માટે જે દુર્ગભૂમિ સ્થાન છે અથવા પર્વતની ઉપર જે જનનિવાસ સ્થાન છે, તેનું નામ સંવાહ છે. જયાં સાર્થવાહ વગેરે આવી ને રોકાય છે. અથવા નિવાસ કરે છે તે સ્થાનનું નામ સન્નિવેશ છે. તલવારની શક્તિના આધારે જે આજીવિકા મેળવવામાં આવે છે, તે કલાનું નામ અસિ છે. આ ઉપલક્ષણ છે. એનાથી બીજા શસ્ત્રોની તાકાત થી જે આજીવિકા મેળવવામાં આવે છે તે પણ અસિકલાશસ્ત્રકલા છે લેખન કલાનું નામ મષિ છે. કૃષિકલાનું નામ કૃષિ છે. વણિક કલાનું નામ વણિક છે. ક્રય વિક્રય કરવાની કલાનું નામ પણિત છે. વ્યાપાર કલાનું નામ વાણિજય છે. ઘટિત સુવર્ણનું નામ સુવર્ણ છે, ફકત સુવર્ણનું નામ હિરણ્ય છે. ચાંદીનું નામ પણ હિર ય છે. વૈર્ય વગેરેનું નામ મણિ છે. મુક્તાફળનું નામ મૌકિતક છે. દક્ષિણાવર્તાદિ આકાર વાળા જે પ્રશસ્ત શંખે છે તે અહીં શંખ શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. સ્ફટિક નગર રૂપે જે નકકર પદાર્થો છે તે શિલા શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. મંગાનું નામ પ્રવાલ છે. પદ્મરાગાદિક રક્તરત્નને કહેવામાં આવ્યા છે. તેમજ રજત સુવર્ણ વગરે દ્ર વાપતેય શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. અહીં એવી શંકા થઈ શકે કે અઘટિત સુવર્ણની સત્તા સુવર્ણની ખાણ માં તેમજ રૂપ-ચાંદીની સત્તા ચાંદીની ખાણ માં જ છે ય છે પણ ઘટિતસુવર્ણની તામ્ર અને ત્રપુના સંગથી જનિત કાંસ્યની અને તંતુ સંયોગ થી જનિત વસ્ત્રની તે કાળમાં આધુનિક યુગ જેવા વૈજ્ઞાનિક આવિષ્કારના અભાવે સંભા વના કેવી રીતે થઈ શકે ? એટલે કે થઈ શકે નહિ. જે અહીં આ પ્રમાણે કહેવામાં આવે કે અતીત ઉત્સર્પિણી કાળ સંબંધી તે વસ્તુઓ આ સમયના ભરત ક્ષેત્રમાં નિધાન ગત થયેલી પ્રાપ્ત થઈ શકે છે, તે આ વાત પણ ચોગ્ય નથી. કેમકે સાદિ સંપર્યાવસિત પ્રગ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ७८
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy