SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ નિરોધરૂપ માર્દવથી ઢાળ' અનુ સ્તર લાઘવથી-ક્રિયામાં નિપુણતાથી અને નુત્ત વિરોઘાયન્ટનિવામ' અનુ સ્તર સુચરિત સોપચિત ફળ નિર્વાણ માર્ગથી સુચ રિત-સદાચરણરૂપ પુણ્યનું જે સપચિતિ-પુષ્ટ–ફળ-નિર્વાણ-માર્ગ કે જે અસાધારણ રત્નત્રયરૂપ છે, તેનાથી “ઝrviળ મામા' પોતે પોતાને ભાવિત કરતા અને પુત્તરે નિદાદા નિરાવરને વાણિજે gf gum વસ્કવરનાઇram અનંત, અનુત્તર, નિર્વાઘાત નિરાવર કૃત્ન, પ્રતિપૂર્ણ, કેવલવર જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા, કેવલવર જ્ઞાન દર્શનના ઉપયુંકત વિશેષણોને સારાંશ આ પ્રમાણે છે કે એ વિનાશ રહિત હોય છે. એથી અનંત કહેવામાં આવેલ છે, સર્વોત્કૃષ્ટ હોય છે એથી અનુત્તર કહેવામાં આવેલ છે, કેમકે એનાથી ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શનની શક્યતા જ હેતી નથી. તે કટ, કુક્ય વગેરે આવરણે દ્વારા અપ્રતિહત હોય છે. એથી આને વ્યાઘાત વજીત કહેવામાં આવેલ છે. ક્ષાયિક રૂપ હોવાથી આ આવરણથી વર્જિત હોય છે. એથી એ નિરાવરણ કહેવામાં આવેલ છે. એ સકલાર્થના ગ્રાહક હોય છે. મૂર્ત પદાર્થ અને અમૂર્ત પદાર્થ એ સર્વેને એ ગ્રહણ કરનાર હોય છે. એથી આને કૃતન કહેવામાં આવેલ છે. એને ચારે તરફથી પૂર્ણ હોય છે, ચન્દ્રની જેમ આ પિતાના સર્વ અંશોથી યુક્ત હોય છે, એથી આને પ્રતિપૂર્ણ કહેવામાં આવેલ છે. જ્ઞાન અદ્વિતીય હવા બદલ, કેવલ પદથી અને અન્ય-જ્ઞાનાદિકની સહાયતાથી રહિત હોવા બદલ વર-શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. આ જાતનું કેવળ જ્ઞાન તે પ્રભુને ઉત્પન્ન થયું. જ્ઞાન જે હોય છે તે સામાન્ય વિશેષ ધર્મ વિશિષ્ટ વસ્તુને વિશેષ રૂપથી નિશ્ચય કરનારું હોય છે. અને દર્શન હોય છે તે સામાન્ય રૂપથી જ વસ્તુને જાણનારું હોય છે. “નજરો વિરોrળાં ગ્રહો નમ્” આવું કથન છે. જે સમયે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થાય છે, તે સમયે આત્મામાં આવરણને એક અંશ પણ વિદ્યમાન હોતું નથી. એટલેકે આવરણને સર્વથા અભાવ થઈ જાય છે અહી આ પ્રમાણે સમજાવું જોઈએ કે જ્યારે કોઈ મનુષ્ય દૂરથી વિભિન્ન જાતિવાળા વૃક્ષોના સમૂહને જુએ છે ત્યારે તેને એવી પ્રતીતિ થતી નથી કે આ વૃક્ષ સમૂહમાં અમુક જાતિના કે અમુક-અમુક વર્ણ આદિના વૃક્ષો છે ત્યાં તો જેનારને સામાન્ય રૂપથી વૃક્ષત્વ જાતિનું જ જ્ઞાન થાય છે. એથી આવુ જે જ્ઞાન છે, તે જ દર્શન કહેવાય છે. અને જ્યારે તે જ જેનારી વ્યકિત પાસે પહોંચે છે ત્યારે તેને આ આમલકી છે. આ મંદિર છે, આ પલાશ છે વગેરે રૂપથી જ્ઞાન થાય છે. એ જ્ઞાન વિશેષગ્રાહી જ્ઞાન કહેવાય છે. જ્ઞાન અને દર્શનમાં આટલે જ તફાવત છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૧૫
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy