SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ અકુશલ મનેયેગના નિષેધક હતા, એથી જ મને ગુપ્ત હતા. અહીં યાવતુ પદથી વાસુદત્તઃ વાવનુત, ગુદત ગુ ” આ પદને સંગ્રહ કરવામાં આવેલ છે. અકુશલ વાગ્યોગના નિરાધક હતા તેથી એઓ વાગુપ્ત હતા અને અકુશલ કાયમના નિરોધક હોવાથી કાયગુપ્ત હતા. સપ્રવૃત્તિનું નામ સમિતિ છે. અને અસત્યવૃત્તિને નિરોધ કરવો ગુપ્તિ છે. ગુપ્તિ અને સમિતિમાં એ જ ભેદ છે. એથી તેઓ ગુપ્ત સર્વથા સંવૃત્ત હતા. એથી જ એઓ ગુપ્તેન્દ્રિય હતા. ઈન્દ્રિયના વિષયભૂત શબ્દાદિકમાં એમની રાગદ્વેષવિહીન પ્રવૃત્તિ જ હતી, તેમજ એઓ ગુપ્ત બ્રહ્મચારી હતા બ્રહ્મચર્ય મહાવ્રતના સંરક્ષણમાં સર્વદા એઓ ૯ કટીથી તલીન હતા. તેમજ “ગોવર' ક્રોધ વિહીન હતા. અહીં યાવત પદથી “મા, ગમાડ' એ પદ ગ્રહણ કરાયા છે. તેમજ એઓ માનવજિત અને માયા વજિત હતા. “ગઢમ: લોભ રહિત હતા અહીં-ક્રોધાદિ કષાય વિહીન પણ સંબંધી કથન સ્કૂલ-કોધાદિની અપેક્ષાએ કરવામાં આવેલ છે. કેમકે ૧૦ મા સૂક્ષમ સાંપરાય ગુણસ્થાન સુધી કષાયને સદ્ભાવ સિદ્ધાન્ત માન્ય છે. એથી સૂક્ષ્મ ક્રોધાદિક કષાની સત્તા તે તે વખતે પ્રભુમાં હતી જ, એથી તેઓ મન, વચન અને કાયના વ્યાપારની શાંતિ થઈ જવાથી શાંત હતા, પ્રશાંત હતા, પ્રકષ રૂપમાં શાંતિ યુકત હતા એથી જ તેઓ પરીષહ અને ઉપસર્ગોને આક્રમણ વખતે ધીર થઈ જતા અને તેથી તેઓ તેમના આ કમણને સહન કરવા ચગ્ય સ્વભાવ વાળા થઈ ગયા હતા. એમને બહાર કે અંદરને કોઈ પણ જાતના આતાપ–સંતા૫–આકુળ વ્યાકુળ કરી શકતા ન હતા. તેનાથી એ વર્જિત હતા, એથી જ “નવ્રુતઃ' શીતલી ભૂત થઈ ગયા હતા. તથા “નિરોતા એ ઓ એટલા માટે કહેવામાં આવેલ છે. કે એમને સંસાર પ્રવાહ સર્વથા છિન્ન ભિન્ન થઈ ગયો હતે. ‘fgdors' પદની “છિન્નરશોરા” એવી છાયા થશે ત્યારે એઓ શેક રહિત હતા એ એને અર્થ થશે, “ નિug: પદથી આમ સૂચિત કરવામાં આવેલ છે કે એએ દ્રવ્યમલ અને ભાવમલ એ બન્ને પ્રકારના મલેથી વિહીન થઈ ગયા હતા. આ પ્રમાણે સામાન્ય રૂપમાં ભગવાનનું વર્ણન કરીને સૂત્રકાર હવે સોપમાન ભગવાનનું વર્ણન કરે છે એ ભગવાન્ “ મઘ મિનર” જીવને મલિન કરનારા અંજનના જેવું કર્મરૂપ મલ જેનાથી દૂર થઈ ગયું છે, એવા હતા. શંખ શુભ્ર હોય છે. આ પ્રમાણે કર્મરૂપ મલનાવિનાશથી પ્રભુ પણ વિશુદ્ધ આત્મ સ્વરૂપવાળા હતા. મૂલમાં મિત્ર એ જે પાઠ છે તેમાં આ મકાર અલાક્ષણિક છે. “ત્યાનમવ નિફ્રાસ્ટેવ ” વિશુદ્ધ સુવર્ણની જેમ પ્રભુ રાગાદિક કુત્સિત દ્રવ્ય વિહીન હોવા બદલ શુદ્ધસ્વરૂપ યુક્ત હતા. નિર્ગતમવવાળું સુવર્ણ જેવું સુદર્શન હોય છે. તે મુજબ પ્રભુ પણ રાગાદિ મલરહિત હવા બદલ સુદર્શન હતા, “આ તમારા ઘરમાવ:” પ્રભુ આદર્શ—દર્પણના પ્રતિબિંબની જેમ અનિમૂહિત અભિપ્રાય વાળા હતા. દર્પણમાં જેમ મુખાદિકના આકાર જેવું જ પ્રતિબિંબ દેખાય છે, તેમજ ભગ વાન ત્રાષભદેવ પણ સર્વદા અનિમૂહિત અભિપ્રાયવાળા હતા. શઠની જેમ તેઓ નિગ્રહિત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૧૦
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy