________________
જ્યારે એમના પૃષ્ઠ કરંડક તેમના કરતાં અડધા હોય છે. બે દિવસ પસાર થાય પછી એમને આહારની અભિલાષા થાય છે એટલે કે બે દિવસ પછી એઓ આહાર ગ્રહણ કરે છે. એ એ પોતાના બાળકોની સંભાળ ૬૪ દિવસ-રાત સુધી કરે છે. “રો ઢોરમ માઝ સેફ સં ૨” એમના આયુષ્યની અવધિ બે પલ્યોપમ પ્રમાણ જેટલી હોય છે એમનાં બાળકને અવસ્થાકમ જેમ પહેલાં કહેવામાં આવેલ છે તેમ જ સમજ. એમની દરેકે દરેક અવસ્થામાં કાળમાન નવ દિવસનું હોય છે, ૮ ઘડીઓ હોય છે, ૩૪ પલ હોય છે, કંઈક વધારે ૧૭ અક્ષર હોય છે, ૬૪ દિવસને ૭ વડે વિભાજિત કરીએ તો એ જ પ્રમાણ આવે છે. આ કથન થી સૂત્રકારે આ વાત સિદ્ધ કરી છે કે એમને સંરક્ષણ કાળ પૂર્વકાળના સંરક્ષણ કાળની અપેક્ષાએ છે. કાળની હીયમાનતા હોવાથી અહીં ઉત્થાન આદિ હીયમાન હોય છે. એ ઉત્થાન આદિકોની અભિવ્યક્તિ હોવામાં બહુત દિવસોની અપેક્ષા રહે છે. આ પ્રમાણે હવે પછી પણ એમના સંબંધમાં આ રીતે જાણવું જોઈએ કે એમને આયુકાળ બે પલ્યોપમ પ્રમાણ જેટલું હોય છે, તેમ જ એમના શરીરની ઊંચાઈ બે ગાઉ જેટલી હોય છે. ઈત્યાદિ રૂપમાં જે આવું કથન કરવામાં આવેલ છે તે બધું સુષમા કાળના આદિ સમયમાં કહેવામાં આવેલ છે. કેમ કે જેમ જેમ આ કાળ વ્યતીત થાય છે તેમ તેમ આયુ વગરેની હીનતા થતી જાય છે. “સમાપ્ત ચરવા મજુદા જુનિથા” એ કાળમાં આ પ્રમાણે ચાર પ્રકારના મનુષ્યો હોય છે—“કદા-g1 gssiધા પુના, સુતકા' એક શ્રેષ્ઠ, અહીંઆ એક શબ્દ સંજ્ઞા રૂપમાં પ્રયુકત થયેલ છે, સર્વનામ રૂપમાં નહિ બીજા કાક જઘાની જેમ તનુ જઘાવાળા નહિ પણ પૃષ્ઠજઘાવાળા, ત્રીજા પુષ્પની જેમ સુકુમાર અને ચોથા સુશમન-શાંતિભાવવાળા. કેમ કે એમની કષાય પ્રતનુ-પાતળી હોય છે. એથી એ અતિશાંત હોય છે. પૂર્વ આરકમાં ઉત્પન્ન થયેલ ૬ પ્રકારના પુરુષોના આ આરકમાં અભાવ રહે છે. એથી એઓ તેમનાથી ભિન્ન જાતીય જ હોય છે. એથી તત ગુણ વિશિષ્ટ હવા બદલ એમનામાં તત્તજજાતીયતા જાણવી જોઈએ, રૂપા
દ્વિતીય આરકનું કથન સમાપ્ત.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા