SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે સમાપ્ત થાય છે. બારમું પર્વ ચૌદમું અયન પહેલા મંડળના સડસઠિયા આડત્રીસ ભાગ રૂદ તથા સડસહિયા એક ભાગને એકત્રીસ પંદર ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે. તેરમું પર્વ પંદરમું અયન બીજું મંડળ તથા બીજા મંડળના સડસઠિયા બેંતાલીસ ભાગ છે અને સહઠિયા એક ભાગના એકત્રીસા વીસ ભાગ રૂ8 જાય ત્યારે સમાપ્ત થાય છે. ચૌદમું પર્વ સેળ અયન ત્રીજું મંડળ તથા ત્રીજા મંડળના સડસઠિયા સુડતાલીસ ભાગ ૭ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસ બે ભાગ ૩ જાય ત્યારે સમાપ્ત થાય છે. પંદરમું પર્વ સત્તરમું અયન ચોથું મંડળ તથા ચેથા મંડળના સડસઠિયા એકાવન ભાગ તથા સડસડિયા એક ભાગના એકત્રીસા અગ્યાર ભાગ 3 જાય, ત્યારે સમાપ્ત થાય છે. આજ પ્રમાણે બાકીના પર્વોમાં અયન પ્રપ્તારની ભાવના કરી સમજી લેવું. ગ્રન્થવિરતાર ભયથી બધા પર્વોને પ્રસ્તાર અહીં લખતા નથી, હવે કયું પર્વ કયા ચંદ્રનક્ષત્રગમાં સમાપ્ત થાય છે આ વિષયની વિચારણામાં પૂર્વાચાર્યોએ કરણગાથા કહેલ છે તે બતાવવામાં આવે છે चउवीससयं काऊण पमाणं, सत्तद्विमेव फलं । इच्छापब्वे हिं गुणं काऊण पज्जया लद्धा ॥१॥ अद्वारसहिं सरहिं सेसगम्मि गुणियम्मि । तेरस विऊतरे हिं, सएहिं अभिइम्मि सुद्धम्मि ॥२॥ सत्तद्वि विसट्ठीणं सव्वग्गेण तओ उ जं सेसं । तं रिक्खं नायव्यं जत्थ समत्यं हवइ पव्वं ॥३॥ આ કરણગાથાઓને અક્ષરાર્થ ક્રમ બતાવવામાં આવે છે, જેમકે વૈરાશિક વિધિથી એક વીસની પ્રમાણ રાશિ કરીને સડસઠિયા ભાગની ફલરાશી કરવી એ પ્રમાણે કરીને ઇચ્છિત પર્વને ગુણાકાર કરીને પહેલી રાશી જે એ ચોવીસ છે તેનાથી ભાગ કરે તેનાથી જે ભાગ લબ્ધ થાય એટલા પર્યાય જાણવા અને જે શેષ રહે તેને અઢારસેત્રીસ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૬ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy