SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસંવત્સરમાં છ અવમરત્ર-ક્ષયદિવસ હોય છે. તેજ સૂત્રકાર બતાવે છે–(તરા વહુ ને છે શોમવત્તા guત્તા) કર્મસંવતસરમાં ચાંદ્રસંવત્સરને અધિકૃત કરીને વ્યવહાર દૃષ્ટિથી આ કશ્યમાન સ્વરૂપની છે અવમરાત્ર-ક્ષયતિથિ પ્રતિપાદિત કરેલ છે તેના નામ અને ક્રમ કહેવામાં આવે છે. (તં નહીં-તિ જે સત્તએ gવે રણમે વે પર જે ઘટૂળવીસ વધે તેવી પૂર્વે) એક કર્મસંવત્સરમાં વીસ પર્વ હોય છે. કારણ કે સંવત્સરમાસ મા પ્રમાણને હોય છે. દરેક માસમાં બે પર્વ અમાવાયા અને પૂર્ણિમારૂપ હોય છે એ વીસ પેમાં કયા કયા પર્વમાં ક્ષય તિથિની સંભાવના હોય છે તેની ગણત્રી કરીને કહે છે–ત્રીજા પર્વમાં, અગીયારમાં પર્વમાં પંદરમા પર્વમાં ઓગણીસમાં પર્વમાં ત્રેવીસમાં પર્વમાં ક્ષય તિથિની સંભાવના હોવાથી છ અવમરત્ર-ક્ષય દિવસ કહેલા છે. પરંતુ અહીંયાં વસ્તુતત્વને જાણવા માટે સૂર્યાદિ ક્રિયાથી જણાતા કાળને અનાદિ પ્રવાહ પ્રતિનિયત સ્વભાવને વાસ્તવિકપણાથી કદાપિ કેઈ પણ પ્રકારથી હાની થતી નથી અને કદાપિ કઈ પણ પ્રકારથી સ્વરૂપને ઉપચય પણ થતું નથી. તે આ અવમરાત્ર-ક્ષયતિથિ અગર વૃદ્ધિ તિથિ કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? તે બતાવે છે. સૌર, સાવન, અને નાક્ષત્ર મહીનાના અને સંવત્સરેના પરસ્પરના માસના વિચારની અપેક્ષાથી આ સઘળું થઈ જાય છે. જેમ કે-કર્મમાસને અપેક્ષિત કરીને સૂર્ય સૂર્યમાસની વિચારણામાં અતિ રાત્રિની અર્થાત્ વૃદ્ધિ તિથિની કલ્પના થાય છે. ગળ્યાન્તરમાં કહ્યું પણ છે कालस्स नेवहाणी ण वि वुढि अवडिओ कालो । जायड् वड्रो वढि मासाणं एकमेकाओ ॥१॥ આ કથનની ભાવાર્થરૂપ વ્યાખ્યા આ પ્રમાણે છે-કાળની હાની અથવા વૃદ્ધિ કઈ વખતે થતી નથી કારણ કે કાળ અવસ્થિત હોય છે. એટલે કે સ્થિર એક રૂપ હોય છે. આ વૃદ્ધિ અથવા ક્ષય કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? આ જાણવા માટે કહે છે, જે વૃદ્ધિ કે ક્ષય લેકવ્યવહારમાં દેખાય છે, અને કહેવામાં આવે છે તે કેવળ સૌર ચાંદ્ર અને નાક્ષત્રાદિ માસેના પરસ્પરની માસવિચારણામાં યા બધી કલ્પના માત્ર જ હોય છે. હવે અહીં અવમાત્રની ભાવના કહેવાના હેતુથી પૂર્વાચાર્યોએ કહેલ બે ગાથા બતાવવામાં આવે છે–(વંઝાણા) ઈત્યાદિ આની અક્ષરાર્થગમનિકા વ્યાખ્યા બતાવવામાં આવે છે–રૂતુમાસ અર્થાત્ કર્મમાસ અને ચાંદ્રમાસ પરસ્પર (વિહેમ) વિશ્લેષ અર્થાત અંતર કરે તે જે અંશ પરસ્પરના અંતરને ભાગ અર્થાત્ અંતરના અંશ કે જે બાસ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૯૪ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy