SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ असीयं जोयणसयं ओगाहित्ता, एत्थ णं पंच चंदमंडला पणत्ता, लवणे णं भंते समुद्दे केवइयं ओगाहित्ता केवईया चंदमंडला पण्णत्ता गोयमा ! लवणेणं समुद्दे तिण्णि तीसाई जोयणसयाई ओगाहित्ता एत्थ णं दस चंदमंडला पण्णता एवामेव सपुवावरेणं નંદી ઢાળી મંઢા મતો તિ મરણાર્થ) શ્રી ગૌતમસ્વામી શ્રીભગવાનને પૂછે છે કે હે ભગવાન જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલે દૂર જવાથી કેટલા ચંદ્રમંડળે કહેલા છે? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે હે ગૌતમ! જંબુદ્વીપમાં આઠ હજાર જન ગયા પછી ત્યાં પાંચ ચંદ્રમંડળે કહેલા છે? શ્રીગૌતમસ્વામી–હે ભગવાન! લવણસમુદ્રમાં કેટલે દૂર ગયા પછી કેટલા ચંદ્રમંડળે કહેલા છે? શ્રીભગવાન હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ત્રણ હજાર અને તેત્રીસ જન ગયા પછી દસ ચંદ્રમંડળે કહેલા છે. એજ પ્રમાણે સપૂર્વાપર જબૂદ્વીપમાં અને લવણસમુદ્રમાં પંદર ચંદ્રમંડળ હોય છે. તેમ કહેલ છે. શ્રીભગવાન્ ફરીથી આજ કથનને સ્પષ્ટ કરતાં કહે છે.–(તા gift i goorછું મંદાજં ગથિ વંદુમંડઢા ને નયા ત્રિ િવિફિયા) આ પૂર્વોક્ત પંદર ચંદ્ર મંડળમાં એવા મંડળે હોય છે, કે જે મંડળ સદા નક્ષત્ર વિનાના હોય, અર્થાત્ કયારેય પણ તે નક્ષત્રનો યોગ પ્રાપ્ત કરતા ન હોય મંડળના આત્યંતર અને બાહ્ય આ પ્રકારના ભેદથી રહેલ હોવાથી તે નક્ષત્ર પરિત્યક્ત હોય છે તથા (બરિય ચંડી ને નયા માહિહિં વિહિવા) પૂર્વ પ્રતિપાદિત પંદર ચંદ્રમંડળમાં એવા પ્રકારના મંડળે હોય છે, કે જે સૂર્ય ચંદ્રના નક્ષત્રોમાં સાધારણ પ્રકારના હોય? અર્થાત્ સૂર્યના નક્ષત્રો પણ આ મંડળમાં જાય, અને ચંદ્રના નક્ષત્રો પણ ત્યાં જતા હોય, તથા પંદર મંડળમાં એવા પણ મંડળો હોય છે, કે જે બે સૂર્યોથી રહિત હોય છે. પ્રાકૃત હોવાથી સૂત્રમાં દ્વિવચનના સ્થાનમાં બહુવચન કહેલા છે. (મારિયાખ્યાં વિરહિતાન) અર્થાત્ એ મંડળમાં કયારેય પણ બે સૂર્યો પિકી એકપણ સૂર્ય પ્રવેશતા નથી. આ પ્રમાણે શ્રી ભગવાને સામાન્ય રીતે પ્રતિપાદિત કરવા છતાં પણ વસ્તુતત્વને વિશેષ રીતે જાણવા માટે શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે. (તા સિદ્ વ્હસાથું મંઢાળ કથરે ચંદ્ર मंडला जेणं सया णक्खत्तेहिं अविरहिया जाव कमरे चंदमंडला जेणं सया अदिच्चविरહિ) પૂર્વ પ્રતિપાદિત પંદર મંડળોમાં કેટલા ચંદ્ર મંડળો એવા છે કે જે સદા અભિછત્ વિગેરે નક્ષત્રોથી વિરહ વિનાના રહે છે? અર્થાત્ સદા નક્ષત્ર યુક્ત રહે છે? યાવત્ કેટલા ચંદ્ર મંડળે એવી રીતે પ્રતિપાદિત કર્યા છે કે જે સદા સૂર્યથી વિરહિત એટલે કે સૂર્યના પેગ વિનાના હોય છે? તે સ્પષ્ટ રીતે કહો. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૩૬૫
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy