SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર કરતાં કહ્યું છે કે જ્યાં જઘન્ય સ્થિતિમાં સાગરેપમનો ૨ ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કે ડાકોડી સાગરોપમની સમજવી જોઈએ. એક હજાર વર્ષના અબાધા કાળ અને શેષ (અબાધાકાળ સિવાયની) કર્મ સ્થિતિને નિષેક કાળ કહેવો જોઈએ. જ્યાં જઘન્ય સ્થિતિમાં (સાગરોપમના) 8 ભાગ કહેવામાં આવ્યા હોય ત્યાં વીસ કેડીકેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી જોઈએ. એમાંથી બે હજાર વર્ષને અબાધા કાળ અને શિષ નિષેક કાળ કહેવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઉચ્ચગેત્ર કર્મની સ્થિતિ કેટલા કાળ કહી છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! ઉચગાત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની કહી છે ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકડી સાગરોપમની છે. તેને અબાધા કાળ એક હજાર વર્ષને છે એક હજાર વર્ષ ઓછા એવા દસ કેડીકેડી સાગરોપમને નિષેક કાળ યા અનુભવ ચોગ્ય સ્થિતિને કાળ છે એમ કહેવામાં આવ્યું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નીચગોત્ર કમની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન્ હે મૈતમ! જેમ અપશસ્ત વિહાયોગતિ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્ય પમને અસંખ્યાત ભાગ ઓછા એવા રે સાગરોપમની કહી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાછેડી સાગરોપમની છે તેવી રીતે નીચ ગોત્રની પણ સમજવી જોઈએ. બે હજાર વર્ષને તેને અબાધા કાળ છે. અબાધા કાળ બાદ કરતાં જે શેષ સ્થિતિ રહે છે અર્થાત બે હજાર વર્ષ ઓછા એવા વીસ કેડીકેડ સાગરોપમને નિષેક કાળ અથવા અનુભવ ગ્ય સ્થિતિને કાળ કહ્યો છે. શ્રી ગૌતમસ્વામી – ભગવદ્ ! અંતરાય કર્મની સ્થિતિ કેટલા સમયની કહી છે? શ્રીભગવાન-હે ગૌતમ! પાંચ પ્રકારના અંતરાય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મહતની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડાછેડી સાગરોપમની કહી છે. તેને અબાધા કાલ ત્રણ વર્ષને છે. અર્થાત્ બન્ધના સમયથી લઈને ત્રણ હજાર વર્ષ સુધી આ (અંતરાય નામ કર્મ) પિતાના ઉદય દ્વારા જીવને કેઈ બાધા પોંચાડતું નથી કારણ કે એટલા સમય તેનાં દળિયાંને નિષેક થતો નથી. આથી અખાધા કાળને બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ છે. એમ સમજવું જોઈએ તેને અનુભવ એગ્ય સ્થિતિ કાળ કહેવામાં આવે છે. દાનાંતરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાંતરાય, અને વીર્યાન્તરાયએ પાંચ પ્રકારનાં અંતરાય કમ છે તે આ અગાઉ કહેવામાં આવ્યું છે. સૂત્ર ૧૦ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૬
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy