SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નીલેશ્યાને લેગ્ય દ્રવ્યના સંપર્કથી નીલલેશ્યાના પરિણમનથી યુક્ત થઈને, કાળ કરીને ભવાન્તરમાં ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે જેલશ્યાના દ્રવ્યને ગ્રહણ કરીને કાળ કરે છે, તેલેશ્યાવાળે થઈને ઉત્પન્ન થાય છે. પછી ત્યાંજ તિર્યંચ અથવા મનુષ્ય તેજભવમાં વર્તમાન રહીને જ્યારે કૃષ્ણલેશ્યામાં પરિણત થઈને નીલલેશ્યાના પરિણામથી પરિણત થાય છે, એ સમયે કૃષ્ણલેશ્યાને લેગ્ય દ્રવ્યના સંપર્કથી નીલશ્યાને યોગ્ય દ્રવ્યના રૂપમાં પલટાઈ જાય છે. આ અભિપ્રાયને દષ્ટાન્તથી પ્રગટ કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! કયા હેતુથી એમ કહ્યું છે કે, કૃષ્ણવેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને અર્થાત પરસ્પર અવયેના સંસ્પર્શને મેળવીને નીલલેશ્યાના સ્વરૂપને, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થઈ જાય છે? શ્રી ભગવાન ગૌતમ ! જેમ દૂધ, છાસ વિગેરે કઈ ખાટી વસ્તુને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર લાલ બાદિ કઈ રંગને પ્રાપ્ત કરીને એ રૂપમાં પલટાઈ જાય છે, દૂધ ખાટું અને વસ્ત્ર લાલ થઈ જાય છે એજ પ્રકારે કૃષ્ણલેશ્યા, નીલશ્યાના દ્રવ્યના સંસર્ગથી નીલ. લેશ્યાના રૂપમાં પલટાઈ જાય છે. એથી આ ફલિત થયું કે જેમ દૂધના રસ, રૂપ, ગંધ આદિનું છાસના સંગથી છાસના રસરૂપ, ગંધના રૂપમાં પરિવર્તન થઈ જાય છે અને જેમ શુદ્ધ વસ્ત્રના રંગરૂપ આદિ બીજા રંગને સંગ પામીને એ રૂપમાં બદલાઈ જાય છે, એ જ પ્રકારે કૃષ્ણલેશ્યાના દ્રનું સ્વરૂપ, એને વર્ણ ગંધ, રસ અને સ્પર્શ નીલલેશ્યાના યોગ્ય દ્રવ્યના સંપકથી પલટાઈને નીલેશ્યાના રૂપમાં પલટાઈ જાય છે. ઉપર્યુક્ત કથનના અનુસાર જ નીલલેશ્યા કાપતલેશ્યાને પામીને, કાપતલેશ્યા, તેલેશ્યાને પામીને, તેજલેશ્યા પદ્મશ્યાને પામીને અને પદ્મશ્યા શુકલેશ્યાને પ્રાપ્ત થઈને તેના સ્વરૂપમાં અને તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં વારંવાર પરિણત થઈ જાય છે. અહીં એ બતાવ્યું છે કે પૂર્વ પૂર્વની લેશ્યા ઉત્તર ઉત્તરની લેશ્યાને પામીને તેના જ રૂપમાં પરિણત થઈ જાય છે પણ હવે એ બતાવે છે કે કઈ પણ એક વેશ્યા અન્ય સમસ્ત વેશ્યાઓના રૂપમાં પરિણત થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કૃષ્ણલેશ્યા શું નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજેશ્યા, પદ્મશ્યા અને શુકલતેશ્યાને પ્રાપ્ત કરીને તેના જ સ્વરૂપમાં, તેનાજ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના રૂપમાં વારંવાર પરિણુત થાય છે? એક લેયામાં પરસ્પર વિરોધી પરિણમન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy