SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રને જાણે દેખે છે, વિશુદ્ધતર ક્ષેત્રને જાણે-ખે છે. જેમ ધરતી ઊપર ઊભેલા પુરુષની અપેક્ષાએ પર્વત પર આરૂઢ પુરૂષ અતિ દૂર સુધીના ક્ષેત્રને જોવે છે અને અત્યન્ત સ્પષ્ટ રૂપે દેખે છે, એજ પ્રકારે નીલલેશ્યાવાળા નારક પિતાની યોગ્યતાના અનુસાર અતિવિશુદ્ધ જ્ઞાની થઈને કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાથી અતિ દૂર સુધી અને અતીવ નિર્મળરૂપે જાણે–દેખે છે. એ અભિપ્રાયથી એમ કહેલું છે. ભગવન્! શા હેતુથી એવું કહ્યું છે કે નીલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ બધી દિશાઓ અને વિદિશાઓમાં અવધિજ્ઞાન દ્વારા ઘણા બધા ક્ષેત્રને દૂરતર ક્ષેત્રને જાણે દેખે છે અને અત્યન્ત નિર્મળ રૂપથી જાણે–દેખે છે? શ્રી ભગવાન જેમ કે પુરૂષ અન્ન સમતલ ભૂમિભાગ ઊપર પર્વત ઉપર ચઢીને બધી દિશાઓ અને વિદિશાઓમાં જે તે તે ભૂતલ પર ઊભેલા પુરૂષની અપેક્ષાએ બધી દિશાઓ અને વિદિશાઓમાં બતર ક્ષેત્રને જાણે-દેખે છે, દૂરતર ક્ષેત્રને જાણે-દેખે છે. વિતિમિરર ક્ષેત્રને જાણે-દેખે છે. વિશુદ્ધતર ક્ષેત્રને જાણે-દેખે છે. એ કારણે છે ગૌતમ ! એવું કહેવાય છે કે, નીલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ અધિકતર, દૂરતર, વિતિમિરત અને વિશુદ્ધતર ક્ષેત્રને જાણે છે દેખે છે. અહીં પર્વતની જગ્યાએ ઊપરવાળી ત્રીજી પૃથ્વી, સમજવી જોઈએ અને પિતાની યેગ્યતાનુસાર અતિવિશુદ્ધ નીલલેશ્યા સમજવી જોઈએ. ભૂમિકલના સ્થાનમાં નીચેવાળી કૃણલેવા છે અને ચક્ષુની જગ્યાએ અવધિજ્ઞાન સમજવું જોઈએ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કાપતલેશ્યાવાળા કેઈ નારક નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ અવધિ દ્વારા બધી દિશાઓ અને વિદિશાઓમાં અવલોકન કરતા કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે? શ્રી ભગવાન ! હે ગૌતમ ! બતર ક્ષેત્રને જાણે–દેખે છે, દૂરતર ક્ષેત્રને જાણે–દેખે છે, વિતિમિરતર ક્ષેત્રને જાણે-દેખે છે વિશુદ્ધતર ક્ષેત્રને જાણે–દેખે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા કારણથી એમ કહે છે કે, કાતિલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકની અપેક્ષાએ, બહુતર, દૂરના વિતિમિરતર, તેમજ વિશુદ્ધતર ક્ષેત્રને જાણે–દેખે છે? શ્રી ભગવાન-હે ગૌતમ જેમ કે પુરૂષ એકદમ સમતલ ભૂમિભાગથી પર્વત ઉપર આરૂઢ થાય, અને આરૂઢ થઈને પિતાના બનને પગ ઊંચા કરીને બધી દિશાઓ અને વિદિશાઓમાં અવલોકન કરે તે તે પુરૂષ ભૂતલ પર રહેલ અને પર્વત પર રહેલ પુરૂષની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭)
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy