________________
વાળા નારક જવન્ય એક ગા અને ઉત્કૃષ્ટ દેઢ ગાઉ જાણે છે અને સાતમી પૃથ્વીના કૃષ્ણલેશ્યાવાન નારક જઘન્ય દેઢ ગાઉ અને ઉત્કૃષ્ટ કાંઈક ઓછા બે ગાઉ. એ પ્રકારે બમણા ત્રણગણ અધિક ક્ષેત્ર હોવાને કારણે દેષ આવશે.
હવે ઉદાહરણ પૂર્વક એ બતાવે છે કે એક જ કઈ પૃથ્વીના પરમ કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ અતિવિશુદ્ધ કૃષ્ણલેશ્યાવાળા પણ બીજા તેજપૃથ્વીવાળા નારક કાંઈક જ અધિક જાણે છે. તેઓને અવધિથી જાણવામાં ઘણું મોટું અન્તર નથી હેતું
શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! એક કૃષ્ણલેશ્યાવાળા નાર, કૃષ્ણલેશ્યાવાળા બીજા નારકની અપેક્ષાએ ઘણું વધારે ક્ષેત્રને નથી જાણતા, ઘણું વધારે ક્ષેત્રને નથી દેખતા, ઘણા દૂર ક્ષેત્રને નથી જાણતા કે દેખતા, કાંઈક જ અધિક ક્ષેત્રને જાણે છે, કાંઈક જ અધિક ક્ષેત્રને દેખે છે, એમ કહેવાનું શું કારણ છે ?
શ્રી ભગવાહે ગૌતમ ! જેમ કે ઈ પુરૂષ અત્યન્ત સમતલ ભૂમિભાગ પર રહીને બધી દિશાઓ અને વિદિશાઓમાં અવલોકન કરે તે તે ભૂતલ પર જ રહેલ બીજા કોઈ પુરૂષની અપેક્ષાએ, બધી દિશાઓમાં અને વિદિશાઓમાં દેખતે છતો ઘણા ક્ષેત્રને નથી જાણો કે દેખતે, પણ કાંઈક અધિક ક્ષેત્રને જાણે છે કે દેખે છે. તાત્પર્ય એ છે કે ભૂતલ પર જ ઉભેલ કોઈ બીજે પુરૂષ પિતાના નેત્રેની નિર્મળતાના કારણે જે અધિક દેખે તે કાંઈક જ અધિક ક્ષેત્રને દેખે કે જાણે છે–તે બન્ને ભૂતલ પર રહેલા પુરૂષોના જેવા કે જાણવામાં કાંઈ ઘણું અત્તર નથી પડતું, એજ પ્રકારે અહીં પણ સમજી લેવું જોઈએ કે કૃષ્ણલેશ્યાવાળા નારક પિતાની યોગ્યતા અનુસાર અત્યન્ત વિશુદ્ધ થયેલા હેવા છતાં પણ એ પૃથ્વીવાળા બીજા કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ અવધિથી કાંઈક જ અધિક ક્ષેત્રને જાણે છે અને દેખે છે-ઘણ અધિક ક્ષેત્રને નથી જાણતા કે દેખતા. હે ગૌતમ ! એ હેતુથી એવું કહેવાય છે કે એક કૃષ્ણલેશ્યાવાળા નારક બીજા કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ ઘણું વધારે ક્ષેત્રને નથી જાણતા કે દેખતા, ઘણું દૂર ક્ષેત્રને નથી જાણતા કે દેખતા, પણ જાણે દેખે તે કંઈક વધારે ક્ષેત્રને જાણે દેખે છે.
હવે નીલલેશ્યાવાળા નારકોને લઈને પ્રશ્ન કરાય છે—
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નીલલેશ્યાવાળા નારક, કૃષ્ણલેશ્યાવ ળ નારકની અપેક્ષાએ, બધી દિશાઓમાં અને વિદિશાઓમાં અવધિના દ્વારા જેવાં કેટલા ક્ષેત્રને જાણે દેખે છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! ઘણુ બધા ક્ષેત્રને જાણે છે, ઘણુ બધા ક્ષેત્રને દેખે છે, દૂરતર ક્ષેત્રને જાણે છે, રતર ક્ષેત્રને દેખે છે. વિતિમિરતર અર્થાત્ અતવ નિર્મળ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૬૯